રામ મંદિર માટે 1 કરોડ આપનારા મહંતનું મોત, અયોધ્યામાં યજ્ઞની કરી રહ્યા હતા તૈયારી

મધ્ય પ્રદેશના નરસિંહપુરથી સોમવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા. અહીં બરમાન-સગરી નેશનલ હાઈવે 44 પર એક ભીષણ રોડ એક્સિડન્ટમાં મહંત કનક બિહારી મહારાજનું નિધન થઈ ગયુ. બાઇક સવારને બચાવવાના ચક્કરમાં તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઈ અને આ દુર્ઘટનામાં મહારાજ સહિત બે લોકોના જીવ જતા રહ્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મહંત કનક બિહારી દાસ મહારાજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયા કરતા વધુ રકમ દાન આપીને ચર્ચામાં આવ્યા હતા. રઘુવંશ શિરોમણિ 1008 ના નામથી પ્રખ્યાત કનક બિહારી દાસ મહારાજ રઘુવંશી સમાજના રાષ્ટ્રીય સંતના રૂપમાં પણ ઓળખાતા હતા.

મહારાજનો આશ્રમ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લા સ્થિત નોનીમાં છે. કનક મહારાજ યુપીના પ્રયાગરાજથી પાછા છિંદવાડા જઈ રહ્યા હતા. દરમિયાન, બરમાન-સગરી નેશનલ હાઇવે- 44 પર થયેલા એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થઈ ગયુ. મહારાજ કનકજી અયોધ્યાના રામ મંદિરમાં થનારા યજ્ઞની તૈયારીઓ કરી રહ્યા હતા. રઘુવંશી સમાજના નરસિંહપુર જિલ્લા અધ્યક્ષ રાજકુમાર રઘુવંશીએ જણાવ્યું, મહંત કનક મહારાજે 1 કરોડ રૂપિયાનું દાન રામ મંદિર માટે આપ્યું હતું. આ ઉપરાંત, મહારાજ 10 ફેબ્રુઆરી, 2024 થી અયોધ્યામાં 9009 કુંડીય યજ્ઞ કરવાના હતા. તેની જ તૈયારી માટે તેઓ રઘુવંશી સમાજના તમામ ગામોમાં જઈ રહ્યા હતા.

સોમવારે જ્યારે તેઓ છિંદવાડા જઈ રહ્યા હતા, ત્યારે ગુના જિલ્લાની પાસે મોટરસાઇકલને બચાવવાના કારણે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ અને તેમનો જીવ ચાલ્યો ગયો. મહારાજની સાથે કારમાં સવાર છિંદવાડાના વિશ્રામ રઘુવંશીનું પણ નિધન થઈ ગયુ. તેમના અસામયિક નિધનથી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. બરમાન સ્થિત રામમંદિરના મહંત સીતારામ દાસ મહારાજે કહ્યું કે, મહંત કનક બિહારી મહારાજ સમાજના મહાન સંત હતા. તેમનું જવુ સમાજ માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. તેઓ અયોધ્યામાં થનારા યજ્ઞની તૈયારીમાં જોતરાયા હતા. પરંતુ, રોડ એક્સિડન્ટમાં કાળની ગર્તામાં સમાઈ ગયા.

રામ મંદિરનું નિર્માણ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થઈ રહ્યું છે. મંદિર નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. રામ મંદિર માટે ભૂમિ પૂજન ઓગસ્ટ 2020માં થયુ હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સામેલ થયા હતા. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની હાલની તસવીરો સામે આવી છે. મંદિર પર બીમ ચઢાવ્યા બાદ મંદિરનું સ્વરૂપ દેખાવા માંડ્યુ છે. રામલલાના ભવ્ય અભિષેક માટે ભારત ઉપરાંત, યુક્રેન અને રશિયા સહિત 7 મહાદ્વીપો અને 155 દેશોમાંથી પવિત્ર જળ ભેગુ કરવામાં આવ્યું છે. હવે 23 એપ્રિલે ભવ્ય અભિષેક કરવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.