‘ગાયને રાજ્યમાતાનો દરજ્જો, મહારાષ્ટ્રમાં ચૂંટણી અગાઉ શિંદે સરકારનો મોટો નિર્ણય

On

મહારાષ્ટ્રમાં ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપી દીધો છે. આ આદેશ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે જાહેર કરી દીધો છે. આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગ થઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય જાહેર કરતા કહેવામાં આવ્યું હતું કે, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ તેમજ જૈવિક કૃષિ પ્રણાલીઓમાં દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્રના મહત્ત્વપૂર્ણ સ્થાનને ધ્યાનમાં રાખતા દેશી ગાયોને હવેથી ગૌમાતા જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

વાસ્તવમાં સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. સાથે જ આ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ મુજબ ગાયમાં દેવી-દેવતાઓનું નિવાસ હોય છે. તો છેલ્લા કેટલાક સમયથી ઘણા હિન્દુ સંગઠનો તરફથી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી રહી હતી. તો હવે સરકારે તેમની વાત માનતા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી દીધી છે.

તેની સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની અધ્યક્ષતામાં આયોજિત રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં પોલીસકર્મીઓના પગારમાં 10 ટકાનો વધારો, ગ્રામ રોજગાર સેવકોનું માનદ વેતન વધારીને 8000 પ્રતિ માસ કરવું, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ સબવેના કામમાં તેજી લાવવાનું સામેલ છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, થાણે મેટ્રો રેલ પરિયોજનામાં તેજી લાવવામાં આવશે.

તો ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે પહોંચી હતી. 2 દિવસીય મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે ઘણી રાજકીય પાર્ટીઓ અને અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર અગાઉ ચૂંટણી કરાવવી પડશે કેમ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તૈયારીઓ બાબતે જાણકારી પણ આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 2 દિવસોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના બધા રાજકીય પક્ષો સાથે મુલાકાત કરવામાં આવી હતી. બધા કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી. અમે તેમને ઘણા નિર્દેશ આપ્યા છે.  

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.