મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી આપી શકે છે રાજીનામું, PM સાથે કરી વાત

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સોમવારે કહ્યું કે, તેઓ રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા માગે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની મુંબઇ યાત્રા દરમિયાન મેં તેમને બધી રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા અને વાંચવા, લખવા અને અન્ય ગતિવિધિઓમાં પોતાનું બાકી બચેલું જીવન વ્યતીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંતો, સમાજ અને વીર સેનાનીઓની ભૂમિ મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલના રૂપમાં સેવા કરવાનું મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત રહી છે.

તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રની જનતા પાસેથી જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે અને આ બાબતે પણ મને આ જ પ્રકારની આશા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ કોઇ ‘બુનિયાદી ઢાંચા પરિયોજનાઓ’નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવા માટે મુંબઇ પહોંચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં રાજ્યપાલ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલ બન્યા બાદ નાખુશ છે અને તેમને લાગે છે કે તેઓ યોગ્ય જગ્યાએ નથી.

તેમણે આગળ કહ્યું કે, તેમને ખુશી ત્યારે જ અનુભવાય છે જ્યારે સંન્યાસી રાજભવનમાં આવે છે. ભગત સિંહ કોશ્યારીની સપ્ટેમ્બર 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભગત સિંહ કોશ્યારીએ લગભગ 3 વર્ષનો કાર્યકાળ રાજ્યપાલ તરીકે પૂરો કર્યો છે. જો કે, આ દરમિયાન પોતાના વિવાદિત નિવેદનોના કારણે વધારે ચર્ચામાં રહ્યા. ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને લઇને વિવાદિત નિવેદન આપી દીધું હતું.

એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે શાળામાં ભણતા હતા તો અમારા શિક્ષક અમને પૂછતા હતા કે તમારા પસંદગીના નેતા કોણ છે? તો લોકો પોતાની ઇચ્છાથી અલગ અલગ નામ લેતા હતા. કોઇ સુભાષ ચંદ્ર બોઝ તો કોઇ જવાહરલાલ નેહરુ તો કોઇ મહાત્મા ગાંધીનું નામ લેતા હતા અને તેમને પોતાના હીરો બતાવતા હતા, પરંતુ મને એમ લાગે છે કે જો તમને કોઇ પૂછે કે તમારા ફેવરિટ હીરો કોણ છે તો તમારે ક્યાંક દૂર જવાની જરૂરિયાત નથી. બધુ તમને મહારાષ્ટ્રમાં જ મળી જશે. શિવાજી મહારાજ તો જૂના જમાનાની વાત છે. હું નવા યુગની વાત કરી રહ્યો છું, બધા અહીં જ મળી જશે. ડૉ. ભીમરાવ આંબેડકરથી લઇને નીતિન ગડકરી સુધી તમને અહીં જ મળી જશે. અન્ય પણ એવા કેટલાક નિવેદનો છે જેના કારણે વિવાદો થયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.