રાઉતના મતે આ મહિને જ પડી જશે શિંદે સરકાર, શિંદે ગ્રુપ બોલ્યું- માનસિક સંતુલન...

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે, મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઠબંધનવાળી સરકાર આ મહિનાના અંત સુધીમાં પડી જશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દેશે. ત્યારબાદ ગઠબંધન લઘુમતીમાં આવી જશે. 16 ધારાસભ્યોમાં એકનાથ શિંદે પણ સામેલ છે. શિંદે ગ્રુપના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરનારી ઠાકરે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટ (SC)માં 13 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે.

સંજય રાઉતે કહ્યું કે, ‘આ સરકાર ફેબ્રુઆરી મહિનો નહીં જોઇ શકે. મારી વાત માની લો, આ સરકાર વેન્ટિલેટર સપોર્ટ પર છે. જે દિવસે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે, એ જ દિવસે સરકાર પડી જશે. જો કોર્ટ પર દબાવ ન નાખવામાં આવ્યો તો 16 ધારાસભ્યોને જલદી જ અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે.’  સંજય રાઉતે દાવો કર્યો કે, એકનાથ શિંદેની સરકારનું પડવું પહેલાથી જ નક્કી હતું.

દરેક જાણે છે કે એ થવા જઇ રહ્યું છે. તેઓ તેને ટાળીને થોડો વધુ સમય કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’ સંજય રાઉતે દાવો કર્યો કે, તેઓ સંવૈધાનિક રૂપે છે એવો દાવો કરી રહ્યા છે.રાજ્ય સરકાર પર આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું કે, વિપક્ષે વિધાનસભાના હાલના શિયાળુ સત્ર દરમિયાન મુખ્યમંત્રી અને અબ્દુલ સત્તાર સહિટ ઘણા મંત્રીઓના રાજીનામાની માગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે મૌન સાધી રાખ્યું છે. આ (સરકાર) જરાય ઉપલબ્ધ નથી.

આ પાણીમાં ભેંસની જેમ નિષ્ક્રિય છે. સરકારમાં બે ગ્રુપ છે અને દરેક પોત પોતાના મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના દાદર 9 શિવસેનાના મુખ્યાલય)માં સેના ભવન પાસે રેલી કરવાની યોજના પર પૂછવામાં આવતા કહ્યું કે, આ પ્રતિષ્ઠિત ઢાંચા સામે સભા કરવાની ઇચ્છા રાખનારા કોઇ પણ વ્યક્તિ પર પ્રતિબંધ નથી. શિવાજી પાર્ટમાં MNS પ્રમુખના ઘર પાસે રેલીઓ (વાર્ષિક દશેરા રેલી) કરે છે.

ભાજપ અને શિંદે ગ્રુપે આ નિવેદનને પબ્લિસિટી સ્ટંટ કરાર આપી દીધો. મુંબઇ ભાજપના મુખિયા આશિષ શેલારે કહ્યું કે, ‘નિવેદનાબાજીની તેને આદત છે. મને લાગે છે કે સંજય રાઉતે સામનાના કાર્યાલયમાં બેસીને સંવિધાનને ફરીથી લખવું જોઇએ. તેમને આ બેકારની કવાયત બંધ કરી દેવી જોઇએ. તો શિંદે ગ્રુપનો દાવો કર્યો કે, સંજય રાઉત હવે હોશમાં નથી. ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, ‘મને લાગે છે કે 3 મહિના જેલમાં વિતાવ્યા બાદ હવે સંજય રાઉત માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. હું તેમને થોડી સારવાર કરાવવાનો અનુરોધ કરીશ. તેમના ફાલતુ નિવેદનોના કારણે હવે અમને માથું દુઃખી રહ્યું છે. તેમને સાંભળ્યા બાદ અમને માથાના દુઃખાવાની ગોળીઓ લેવાનું મન થાય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.