લવાસામાં બનશે PM મોદીની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર પટેલ કરતા પણ મોટી

ભારતના પ્રધાનમંત્રી મોદીની પુણેના લવાસા સિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનવા જઇ રહી છે. આ પ્રતિમા 190-200 મીટરની રહેશે. જે દુનિયાની પહેલી સૌથી ઊંચી પ્રતિમા રહેશે. આવનારી 31મી ડિસેમ્બર 2023 પહેલા કે તે દિવસે મોદીની પ્રતિમાનું અનાવરણ થવાની સંભાવના છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીના પ્રમુખ અજય સિંહ અનુસાર, આ આયોજનમાં ઈઝરાયલ, જર્મની, ફ્રાંસ, UAE, સાઉદી આરાબ અને અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ આવી શકે છે.

સિંહે કહ્યું કે, આ પ્રતિમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરવામાં આવેલા પ્રયાસોને સમર્પિત રહેશે. NCLT દ્વારા લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાની મંજૂરી આપ્યા પછી આ પ્રતિમાની પરિકલ્પના વાસ્તવિકતામાં ફેરવાશે.

લવાસામાં જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે ત્યાં દેશનો વારસો અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરવા માટે એક મ્યૂઝિયમ, એક સ્મારક બગીચો, મનોરંજન કેન્દ્ર અને પ્રદર્શન હોલ રહેશે. જેમાં પ્રધાનમંત્રી મોદીના જીવન અને તેમની ઉપલબ્ધિઓની ઝાંખી પણ દેખાડવામાં આવશે. સાથે જ તેમના દ્વારા નવા ભારતના નિર્માણ માટે આપવામાં આવેલા ફાળાને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ચોમાસાના સમયમાં પહાડી વિસ્તારોમાં ફરવા માટે લોકો રાહ જોતા હોય છે. પહાડો અને વાદળોનું મિલન અને સુંદર રમણીય દ્રશ્યો તેને જોવા સહેલાણિયોની પડાપડી આ સીઝનમાં જોવા મળતી હોય છે. વરસાદમાં લવાસા વધારે સુંદર બની જાય છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કરતા વધારે રહેશે ઊંચાઇ

આ પ્રોજેક્ટના પ્રમુખ અજય સિંહ અનુસાર, લાવાસામાં પ્રધાનમંત્રીની પ્રતિમાના સાક્ષી બનવા તૈયાર છે. અત્યાર સુધીમાં ગુજરાતના કેવડિયા કોલોનીમાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનો દરજ્જો મળ્યો છે. જે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જેની લંબાઈ 182 મીટર એટલે કે 597 ફૂટ છે. સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ છે. 

પ્રધાનમંત્રી મોદીએ પોતે તેમની પ્રતિમા માટે મંજૂરી આપી દીધી છએ. આ પ્રતિમા લવાસા સ્માર્ટ સિટીની પરિકલ્પનામાં મીલનો પથ્થર સાબિત થશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.