મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં RPF જવાનનું આડેધડ ફાયરિંગ, 4 લોકોના મોત

જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનના B5 કોચમાં થઇ હતી. ટ્રેનમાં થયેલી ફાયરિંગની આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ફાયરિંગની આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રેલવે સુરક્ષા દળના એક જવાને ફાયરિંગ કરી હતી. ફાયરિંગ કરનારા RPF જવાન ચેતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું કે પાલઘર સ્ટેશન પાસ કર્યા પછી એક RPF જવાને ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ફાયરિંગ શરૂ કરી દીધી. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી માર્યા પછી આરોપી દહિસર સ્ટેશનની પાસે ટ્રેનમાંથી કૂદી ગયો. આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું કે જવાને પોતાની સર્વિસ ગનથી ગોળી ચલાવી ટ્રેનમાં સવાર અન્ય એક RPF જવાનની સાથે ત્રણ મુસાફરોની હત્યા કરી દીધી. આ ટ્રેન જયપુરથી મુંબઈ જઇ રહી હતી. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી પાલઘરનું અંતર લગભગ 100 કિમી છે.

અધિકારી અનુસાર, ચેતન કુમાર ચૌધરીએ પોતાના એસ્કોર્ટ ડ્યુટી પ્રભારી ASI ટીકા રામ મીણાને ચાલતી ટ્રેનમાં ગોળી મારી દીધી. પોતાના સીનિયરને ગોળી માર્યા પછી કોન્સ્ટેબલ વધુ એક કોચમાં ગયો અને તેણે 3 મુસાફરોને ગોળી મારી દીધી.

અધિકારી અનુસાર, આરોપીએ મીરા રોડ અને દહિસરની વચ્ચે ટ્રેનમાંથી ભાગવાની કોશિશ કરી. પણ રાજકીય રેલવે પોલીસ(GRP)ના કર્મચારીઓએ તેને પકડી લીધો અને તેની સર્વિસ ગન પણ જપ્ત કરી લીધી. અધિકારીએ જણાવ્યું કે બોરીવલી રેલવે સ્ટેશન પર શવોને ટ્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે RPFનો આરોપી જવાન હાલમાં મીરા રોડ રેલવે પોલીસની કસ્ટડીમાં છે. આ બંને RPF જવાનો ઓન ડ્યૂટી પર હતા અને ઓફિશ્યલ કામથી મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી હતી.

મુંબઈના ડીસીપી વેસ્ટર્ન રેલવે સંદીપ વી.એ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આરોપીની માનસિક સ્થિતિ ખરાબ હતી. પણ સવાલ એ ઊભા થાય છે કે જો તે માનસિક રીતે અસ્વસ્થ હતો તો તેને ડ્યૂટી પર શા માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.