જમીયત ચીફનો નવો દાવો-ઇસ્લામ બહારથી આવ્યું નથી, ભારત જ તેની જન્મભૂમિ

જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, ઇસ્લામ બહારથી આવ્યો નથી, ભારત જ તેની જન્મભૂમિ છે. જમીયત ચીફે એક સભાને સંબોધીત કરતા કહ્યું કે, આ ધરતી (ભારત)ની વિશેષતા એ છે કે તે પહેલા પયગમ્બરની જમીન છે. દેશમાં મુસ્લિમો વિરુદ્ધ વિરોધની ભાવનાઓ વધી રહી છે. પોતાના નિવેદનમાં ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, આ ધરતીની વિશેષતા એ છે કે તે ખુદાના સૌથી પહેલા પયગમ્બર બુલ બશર આદમ અલી સલામની જમીન છે. તમે અહીં પોતાની તશરીફ લાવ્યા.

તેમણે કહ્યું કે, આ ધરતી મુસ્લિમોની પહેલી માતૃભૂમિ છે. એ કહેવું છે ઇસ્લામ એક ધર્મ છે જે બહારથી આવ્યો છે. એકદમ ખોટું અને નિરાધાર છે. ઇસ્લામ બધા ધર્મોમાં સૌથી જૂનો ધર્મ છે. હિન્દી મુસ્લિમો માટે ભારત સૌથી સારો દેશ છે. પોતાના નિવેદનોમાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ આરોપ લગાવ્યો કે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતની ઘટના સતત વધી રહી છે. દેશની અંદર ઇસ્લામો ફોબિયા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના વધી રહેલા કેસમાં સરકાર મૌન છે.

દિલ્હીમાં રામલીલા મેદાનમાં આયોજિત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, સમાન નાગરિક સંહિતા (UCC) માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે દેશના અલગ અલગ સામાજિક સમૂહો, સમુદાયો, જાતિઓ અને બધા વર્ગો સાથે સંબંધિત છે. આપણો દેશ વિવિધાતામાં એકતા અને સાચો બહુધાવાદીનું સૌથી સારું ઉદાહરણ છે, પરંતુ આપણાં બહુધાવાદને નજરઅંદાજ કરતા જે પણ કાયદા પાસ થશે, તેનો દેશની એકતા, વિવિધતા અને અખંડતા પર સીધો પ્રભાવ પડશે.

જામિયાતે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા લાવવાની સરકારની મંશા વૉટની રાજનીતિથી પ્રેરિત છે. જમીયત ઉલેમા-એ-હિંદે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા વિરુદ્ધ સરકારને ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, સરકાર સમાન નાગરિક સંહિતા કોર્ટોને ભરમાવી રહી છે. વર્તમાન સરકાર સમાન નાગરિક સંહિતા લાગૂ કરી મુસ્લિમ પર્સનલ લૉને સમાપ્ત કરવા માગે છે, જે વોટ બેંકની રાજનીતિથી પ્રેરિત છે. વર્તમાન કોર્ટોએ 3 તલાક, હિજાબ વગેરે મામલાઓમાં શરીયતના નિયમો અને કુરાનની આયાતોની માનમાની વ્યાખ્યા કરીને મુસ્લિમ પર્સનલ લોને સમાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.