જમીયત ચીફનો નવો દાવો-ઇસ્લામ બહારથી આવ્યું નથી, ભારત જ તેની જન્મભૂમિ

જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, ઇસ્લામ બહારથી આવ્યો નથી, ભારત જ તેની જન્મભૂમિ છે. જમીયત ચીફે એક સભાને સંબોધીત કરતા કહ્યું કે, આ ધરતી (ભારત)ની વિશેષતા એ છે કે તે પહેલા પયગમ્બરની જમીન છે. દેશમાં મુસ્લિમો વિરુદ્ધ વિરોધની ભાવનાઓ વધી રહી છે. પોતાના નિવેદનમાં ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, આ ધરતીની વિશેષતા એ છે કે તે ખુદાના સૌથી પહેલા પયગમ્બર બુલ બશર આદમ અલી સલામની જમીન છે. તમે અહીં પોતાની તશરીફ લાવ્યા.

તેમણે કહ્યું કે, આ ધરતી મુસ્લિમોની પહેલી માતૃભૂમિ છે. એ કહેવું છે ઇસ્લામ એક ધર્મ છે જે બહારથી આવ્યો છે. એકદમ ખોટું અને નિરાધાર છે. ઇસ્લામ બધા ધર્મોમાં સૌથી જૂનો ધર્મ છે. હિન્દી મુસ્લિમો માટે ભારત સૌથી સારો દેશ છે. પોતાના નિવેદનોમાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ આરોપ લગાવ્યો કે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતની ઘટના સતત વધી રહી છે. દેશની અંદર ઇસ્લામો ફોબિયા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના વધી રહેલા કેસમાં સરકાર મૌન છે.

દિલ્હીમાં રામલીલા મેદાનમાં આયોજિત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, સમાન નાગરિક સંહિતા (UCC) માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે દેશના અલગ અલગ સામાજિક સમૂહો, સમુદાયો, જાતિઓ અને બધા વર્ગો સાથે સંબંધિત છે. આપણો દેશ વિવિધાતામાં એકતા અને સાચો બહુધાવાદીનું સૌથી સારું ઉદાહરણ છે, પરંતુ આપણાં બહુધાવાદને નજરઅંદાજ કરતા જે પણ કાયદા પાસ થશે, તેનો દેશની એકતા, વિવિધતા અને અખંડતા પર સીધો પ્રભાવ પડશે.

જામિયાતે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા લાવવાની સરકારની મંશા વૉટની રાજનીતિથી પ્રેરિત છે. જમીયત ઉલેમા-એ-હિંદે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા વિરુદ્ધ સરકારને ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, સરકાર સમાન નાગરિક સંહિતા કોર્ટોને ભરમાવી રહી છે. વર્તમાન સરકાર સમાન નાગરિક સંહિતા લાગૂ કરી મુસ્લિમ પર્સનલ લૉને સમાપ્ત કરવા માગે છે, જે વોટ બેંકની રાજનીતિથી પ્રેરિત છે. વર્તમાન કોર્ટોએ 3 તલાક, હિજાબ વગેરે મામલાઓમાં શરીયતના નિયમો અને કુરાનની આયાતોની માનમાની વ્યાખ્યા કરીને મુસ્લિમ પર્સનલ લોને સમાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.