અદાણીને મળી કરોડોની લોન, ખેડૂતના 31 પૈસા બાકી છતા ન મળી NOC: સંસદમાં બોલ્યા ખડગે

સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવા દરમિયાન બિઝનેસમેન ગૌતમ અદાણી અને હિંડબર્ગના રિપોર્ટનો મુદ્દો ગરમાયેલો છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બુધવાર (8 ફેબ્રુઆરી)ના રોજ ગુજરાતના એક ખેડૂતનો કિસ્સો સંભળાવતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. મલ્લિકાર્જૂન ખડગેએ સદનમાં બોલતા કહ્યું હતું કે દેશના એક બિઝનેસમેનને લાખો કરોડ રૂપિયા આપી શકાય છે, પરંતુ એક ખેડૂતને 31 પૈસાના બાકી રહેતા NOC લેવા માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવવો પડે છે.

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે વર્ષ 2014માં કહેવામાં આવ્યું, ‘ન ખાઇશ અને ન ખાવા દઇશ.’ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નજીકના મિત્રની સંપત્તિ થોડા જ વર્ષોમાં 13 ગણી વધી ગઇ, આખરે એવો કયો જાદુ કરી દીધો? તેના પર રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે તેમને ટોકતા કહ્યું કે, એવો કોઇ પણ આરોપ ન લગાવો, જે તમે પછી સાબિત ન કરી શકો. જેના પર મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતના એક ખેડૂતનો કેસ છેડી દીધો. આવો આ આર્ટિકલમાં જાણીએ શું છે મામલો.

ટાઇમ્સ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ, અમદાવાદના બાહ્ય વિસ્તારમાં આવેલા ખોરાજ નામના એક ગામમાં મનોજ વર્મા અને રાકેશ વર્માએ શામજીભાઇ પાશાભાઇ પાસે જમીનનો એક હિસ્સો ખરીદ્યો હતો. એ જમીન પર પાશાભાઇ અને તેમના પરિવારે SBI પાસે લોન લીધી હતી. લોન ચૂકવવા પહેલા જ પાશાભાઇના પરિવારે જમીનની ડીલ કરી દીધી. જમીન પર લોન હોવાના કારણે દસ્તાવેજોમાં નવા માલિકોના નામ ન ચડી શક્યા. તેના માટે SBI પાસેથી NOCની જરૂરિયાત હતી.

જમીનના ખરીદદારોએ લોન ચૂકવવાની રજૂઆત કરી, પરંતુ મામલો અટકેલો રહ્યો. મામલો આગળ ન વધવા પર જમીન ખરીદદારોએ વર્ષ 2020માં હાઇ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અરજી પર સુનાવણી પહેલા જ લોનની રકમ ચૂકવી દેવામાં આવી. જો કે એ છતા SBI તરફથી NOC આપવામાં ન આવી. જેના કારણે સરકારી દસ્તાવેજોમાં જમીનના વર્તમાન માલિકોના નામ ચડાવી શકાતા નહોતા. ગયા વર્ષે એપ્રિલમાં આ બાબતે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

જસ્ટિસ ભાર્ગવ કરિયાએ સુનાવણી દરમિયાન SBIને સખત ફટકાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે SBIએ હાઇ કોર્ટમાં NOC ન આપવાનું કારણ 31 પૈસા બાકી હોવાનું કહ્યું હતું. જસ્ટિસ ભાર્ગવ કરિયાએ SBIને ફટકાર લગાવતા કહ્યું હતું કે આટલી નાની રકમ માટે NOC ન આપવું કંઇ શોષણ નથી. શું તમને ખબર છે કે 50 પૈસાથી નીચેની કોઇ પણ રકમને ન માનવાનો નિયમ છે?

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.