અદાણીને મળી કરોડોની લોન, ખેડૂતના 31 પૈસા બાકી છતા ન મળી NOC: સંસદમાં બોલ્યા ખડગે

સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવા દરમિયાન બિઝનેસમેન ગૌતમ અદાણી અને હિંડબર્ગના રિપોર્ટનો મુદ્દો ગરમાયેલો છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બુધવાર (8 ફેબ્રુઆરી)ના રોજ ગુજરાતના એક ખેડૂતનો કિસ્સો સંભળાવતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. મલ્લિકાર્જૂન ખડગેએ સદનમાં બોલતા કહ્યું હતું કે દેશના એક બિઝનેસમેનને લાખો કરોડ રૂપિયા આપી શકાય છે, પરંતુ એક ખેડૂતને 31 પૈસાના બાકી રહેતા NOC લેવા માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવવો પડે છે.

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે વર્ષ 2014માં કહેવામાં આવ્યું, ‘ન ખાઇશ અને ન ખાવા દઇશ.’ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નજીકના મિત્રની સંપત્તિ થોડા જ વર્ષોમાં 13 ગણી વધી ગઇ, આખરે એવો કયો જાદુ કરી દીધો? તેના પર રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે તેમને ટોકતા કહ્યું કે, એવો કોઇ પણ આરોપ ન લગાવો, જે તમે પછી સાબિત ન કરી શકો. જેના પર મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતના એક ખેડૂતનો કેસ છેડી દીધો. આવો આ આર્ટિકલમાં જાણીએ શું છે મામલો.

ટાઇમ્સ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ, અમદાવાદના બાહ્ય વિસ્તારમાં આવેલા ખોરાજ નામના એક ગામમાં મનોજ વર્મા અને રાકેશ વર્માએ શામજીભાઇ પાશાભાઇ પાસે જમીનનો એક હિસ્સો ખરીદ્યો હતો. એ જમીન પર પાશાભાઇ અને તેમના પરિવારે SBI પાસે લોન લીધી હતી. લોન ચૂકવવા પહેલા જ પાશાભાઇના પરિવારે જમીનની ડીલ કરી દીધી. જમીન પર લોન હોવાના કારણે દસ્તાવેજોમાં નવા માલિકોના નામ ન ચડી શક્યા. તેના માટે SBI પાસેથી NOCની જરૂરિયાત હતી.

જમીનના ખરીદદારોએ લોન ચૂકવવાની રજૂઆત કરી, પરંતુ મામલો અટકેલો રહ્યો. મામલો આગળ ન વધવા પર જમીન ખરીદદારોએ વર્ષ 2020માં હાઇ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અરજી પર સુનાવણી પહેલા જ લોનની રકમ ચૂકવી દેવામાં આવી. જો કે એ છતા SBI તરફથી NOC આપવામાં ન આવી. જેના કારણે સરકારી દસ્તાવેજોમાં જમીનના વર્તમાન માલિકોના નામ ચડાવી શકાતા નહોતા. ગયા વર્ષે એપ્રિલમાં આ બાબતે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

જસ્ટિસ ભાર્ગવ કરિયાએ સુનાવણી દરમિયાન SBIને સખત ફટકાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે SBIએ હાઇ કોર્ટમાં NOC ન આપવાનું કારણ 31 પૈસા બાકી હોવાનું કહ્યું હતું. જસ્ટિસ ભાર્ગવ કરિયાએ SBIને ફટકાર લગાવતા કહ્યું હતું કે આટલી નાની રકમ માટે NOC ન આપવું કંઇ શોષણ નથી. શું તમને ખબર છે કે 50 પૈસાથી નીચેની કોઇ પણ રકમને ન માનવાનો નિયમ છે?

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.