મણિપુર BJPમાં કેમ મચી છે અફરાતફરી? માત્ર 19 દિવસમાં 4 ધારાસભ્યોનું રાજીનામું

મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. છેલ્લા 19 દિવસમાં અહી ભાજપના 4 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. સોમવારે મણિપુર નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી (MANIREDA)ના અધ્યક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય પાઓનામ બ્રોજેને રાજીનામાં પાછળ અંગત કારણોનો સંદર્ભ આપ્યો હતો. તેમના પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના ધારાસભ્યોનાં રાજીનામાનો આ સિલસિલો 8 એપ્રિલથી શરૂ થયો છે. 8 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે મુખ્યમંત્રીના સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોમવારે રાજીનામું આપનારા ભાજપના ચોથા ધારાસભ્ય ખ્વાઈરાકપમે અંગત કારણો અને જનહિતની બાબતો પર રાજીનામું આપવાની વાત કહી છે. રઘુમણિએ મુખ્યમંત્રી એન. બીરેન સિંહને લખેલા રાજીનામમાં કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત કારણોથી અને જનહિતમાં પદ છોડી રહ્યા છે.

તેમણે રાજીનામામાં લખ્યું કે, મેં એવું અનુભવ્યું કે, MANIREDAના અધ્યક્ષના રૂપમાં મારી નિરંતરતા આ સમયે આવશ્યકતા નથી. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય બ્રોજેને પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત ટ્વીટ કરતા કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, ‘હું અંગત કારણોથી મણિપુર ડેવલપમેન્ટ સોસાયટી, ઈંકાલના અધ્યાક્ષ પદ પરથી રાજીનામું આપું છું. તેને સ્વીકારવામાં આવે. પાઓનામ પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા ફરિયાદ કરી હતી કે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી.

મણિપુર ભાજપના ધારાસભ્યોમાં અસંતોષનું એક મોટું કારણ મુખ્યમંત્રી એન. બીરેન સિંહ છે. અસંતુષ્ટ ધારાસભ્ય કેન્દ્રીય નેતાઓ પાસે મુખ્યમંત્રી બીરેન સિંહને બદલવાની માગ કરી રહ્યા છે. આ માંગ હેઠળ મણિપુર ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોનો એક વિભાગ દિલ્હી પણ ગયો હતો. જો કે, ભાજપના ઉચ્ચ નેતૃત્વ તરફથી મુખ્યમંત્રી બીરેન સિંહ કે કેબિનેટમાં બદલાવને લઈને કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેથી ભાજપના ધારાસભ્યોનો રાજીનામું આપવાનો સિલસિલો ચાલુ છે.

ભાજપના ધારાસભ્યોના પોતાના પદ પરથી રાજીનામાં વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી એન. બીરેન સિંહની સરકારમાં મતભેદ ખૂલીને સામે આવી રહ્યા છે. પાર્ટીના એક મુખ્ય નેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરવું કે, વિવાદને પાર્ટીના કોઈ ઉચ્ચ અધિકારી પાસે લઈ જવું અનુશાસનહીનતા સમાન નથી. મણિપુર વેલીમાં ધારાસભ્યો વચ્ચે અસંતોષ ખૂબ પહેલાથી ચાલી રહ્યો છે. મણિપુર વિધાનસભાની ચૂંટણી 2022માં થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે મોટો રેકોર્ડ બનાવતા પોતાના દમ પર બહુમત હાંસલ કર્યો હતો. 60 વિધાનસભા સીટવાળી મણિપુર વિધાનસભામાં ભાજપને 32 સીટો મળી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.