મણિપુર હિંસામાં 60 લોકોના મોત અને 231 ઇજાગ્રસ્ત, 1700 ઘર સળગીને થયા રાખ

મણિપુરમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 60 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 231 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, કેટલાક ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. ઘર્ષણ દરમિયાન લગભગ 1700 ઘરોને આઆગ લગાવી દેવામાં આવી, જેથી તેઓ સળગીને રાખ થઈ ગયા. 3 મેના રોજ થયેલી આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા દરમિયાન માર્યા ગયેલા બધા લોકો નિર્દોષ હતા. મણિપુરના લોકોને અપીલ કરું છું કે, ભાઈચારો બનાવી રાખે. આપણે બધાએ હળીમળીને શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કહ્યું કે, હિંસા ભડકાવનાર વ્યક્તિઓ અને ગ્રુપની જાણકારી મેળવવામાં આવશે. તેના માટે વહેલી તકે એક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. બીજા રાજ્યોના જે લોકો અહીં ફસાયા છે, તેમને પરત મોકલવા માટે સરકારે ઘણા બધા પગલાં ઉઠાવ્યા છે. આ લોકોને સુરક્ષિત પરત મોકલવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. તેઓ હિંસા પ્રભાવિત રાજ્યમાં સ્થિતિને સુધારવામાં મદદ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સમર્થનને લઈને તેમના આભારી છે.

તેમણે કહ્યું કે, સ્થિતિ પર નજર રાખવા અને એ સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં આગળ કોઈ હિંસા ન થાય. હું સતત ગૃહ મંત્રીના કાર્યાલયના સંપર્કમાં છું. મણિપુરથી સિક્કિમના 128 વિદ્યાર્થીઓને સોમવારે પરત લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના ‘ઓપરેશન ગુરાસ’ હેઠળ પાછા લાવવામાં આવ્યા છે. તો રાજસ્થાન સરકાર દ્વારા મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા માટે ઇન્ડિગો એરલાઇન્સના માધ્યમથી 2 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પ્રશાસને એડવાઇઝરી જાહેર કરી છે. તે મુજબ, જો કોઈ વિદ્યાર્થી મદદ ઈચ્છે છે તો મોબાઈલ નંબર 98169 66635 કે 0177 266988 પર સંપર્ક કરી શકે છે. હિંસા પ્રભાવિત મણિપુરમાં સોમવારે સવારે થોડા કલાકો માટે કર્ફ્યૂમાં ઢીલ આપી છે. તેની સાથે જ જનજીવન ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઇમ્ફાલમાં લોકો જરૂરી સામાન ખરીદવા માટે પોતાના ઘરોમાંથી નીકળ્યા. કર્ફ્યૂમાં ઢીલ દરમિયાન દરમિયાન સેનાના ડ્રોન અને હેલિકોપ્ટરો દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.