કેરળ સ્ટોરી પર બોલ્યા સાંસદ ઓવૈસી, કહ્યું- મણિપુર સળગી રહ્યું છે PM ગંદી ફિલ્મ..

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં બજરંગ દળ, બજરંગબલીથી લઈને ફિલ્મ ધ કેરલ સ્ટોરી સુધીના મુદ્દાઓ ચર્ચામાં રહેલા છે. PM નરેન્દ્ર મોદીએ પણ એક દિવસ પહેલા કર્ણાટકના બેલ્લારીમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતી વખતે ધ કેરળ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો હતો અને વિપક્ષ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

PM નરેન્દ્ર મોદીના આ નિવેદન પર હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, અમે PM નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે કર્ણાટકમાં ચોક્કસ ચૂંટણી છે, પરંતુ પાકિસ્તાનથી આવીને આતંકવાદીઓએ આપણા પાંચ જવાનોની હત્યા કરી. ઓવૈસીએ કહ્યું કે, મણિપુર સળગી રહ્યું છે.

મણિપુરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગામડાઓ અને ચર્ચ સળગી રહ્યા છે. ધ કેરળ સ્ટોરીનું નામ લીધા વિના ઓવૈસીએ કહ્યું કે, પરંતુ તેઓ જે PM છે, તેઓ ગંદી ફિલ્મની વાત કરી રહ્યા છે અને કર્ણાટકની ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેમણે કહ્યું કે PM ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. અને બીજી બાજુ પાકિસ્તાન આપણા સૈનિકોને મારી રહ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ એક ખોટી ફિલ્મ છે. આ લોકો ફક્ત અમારો બુરખો બતાવીને પૈસા કમાવવા માંગે છે. તેમણે કહ્યું કે PM નફરત ફેલાવી રહ્યા છે. pm માત્ર ચૂંટણી જીતવા માટે આટલા નિમ્ન સ્તર સુધી ગયા છે. તેઓ અમને શું સજા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? ઓવૈસીએ કહ્યું કે, માત્ર ભાષણો ન કરો અને પાકિસ્તાનને રોકો જેથી તેઓ આવીને આપણા સૈનિકોને મારી ન શકે.

તેમણે એમ પણ કહ્યું કે, PMએ આ અંગે કંઈક કરવું જોઈએ. AIMIMના વડાએ ટોણો માર્યો હતો કે, PM માત્ર ચૂંટણીમાં રાષ્ટ્રવાદ પર ભાષણ આપે છે, પરંતુ જ્યારે આપણા સૈનિકો મૃત્યુ પામે છે ત્યારે મૌન રહે છે. અસદુદ્દીન ઓવૈસીનું આ નિવેદન કર્ણાટકમાં PM નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીના ઉલ્લેખને લઈને આવ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલ્લારીમાં એક ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આતંકવાદી ષડયંત્ર પર આધારિત ફિલ્મ કેરળ સ્ટોરી કહે છે કે, તે માત્ર એક રાજ્યમાં થયેલા આતંકવાદી ષડયંત્ર વિશે છે. તેણે કહ્યું હતું કે, આ ફિલ્મમાં કેરલમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રનો ખુલાસો કરવામાં આવ્યો છે જ્યાં લોકો આટલા મહેનતુ અને પ્રતિભાશાળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર 8 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. મતગણતરી 13 મેના રોજ થવાની છે. ચૂંટણી પ્રચાર પૂરો થાય તે પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.