મણિપુર સળગી રહ્યું છે અને PM મોદી સંસદમાં હસીને બોલી રહ્યા હતા: રાહુલ ગાંધી

મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું હતુ કે,ભારતીય સેના 2 દિવસમાં આ સમગ્ર હિંસા પર કાબૂ મેળવી શકે છે, પરંતુ PMએ આગ ઓલવવાનો ઇનકાર કર્યો હતો. રાહુલે કહ્યું કે PM  મણિપુરની આગને ઠારવા માંગતા નથી, તેઓ પોતે મણિપુરને સળગતું રાખવા માંગે છે.

મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે PM મોદીએ પોતાના 2 કલાક 13 મિનિટના ભાષણમાં મણિપુર માટે માત્ર 2 મિનિટ ફાળવી હતી. આ 2 મિનિટમાં પણ PM મણિપુરની મજાક ઉડાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરની મજાક ઉડાવવી યોગ્ય નથી. આ સાથે રાહુલે એ પણ જણાવ્યું કે તેણે ભારત માતાની હત્યાનું નિવેદન કેમ આપ્યું હતું?

ગુરુવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવિશ્વનાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો જેની સામે રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું મણિપુરના કુકી ક્ષેત્રમાં ગયો હતો ત્યારે મને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તમારી સુરક્ષામાં કોઇ પણ મૈતેઇ જાતિનો ન હોવો જોઇએ, નહીં તો અમે તેને મોતને ઘાટ ઉતારી દઇશું. એ જ પ્રમાણે જ્યારે હું મૈતેઇ વિસ્તારમાં ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યુ કે તમારી સુરક્ષામાં કોઇ પણ કુકી જાતિનો ન હોવો જોઇએ, નહીં તો મૈતેઇ લોકો મોતને ઘાટ ઉતારી દેશે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે મણિપુર 1 સ્ટેટ નથી, બલ્કે 2 સ્ટેટ છે. મણિપુરની હત્યા કરી દેવામાં આવી છે, તેને ચીરી નાંખવામાં આવ્યું છે એટલે હું સસંદમાં બોલ્ટો હતો કે હિંદુસ્તાનની હત્યા કરી નાંખવામાં આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું 19 વર્ષથી રાજનીતિમાં છું, પરંતુ મેં મણિપુરમાં જે જોયું હતું તે મારી આખી રાજકીય કારકિર્દીમાં ક્યારેય જોયું નથી. મણિપુરના બે હિસ્સામાં ભાગલા પાડી દેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીઅ કહ્યુ કે PMએ સંસદમાં આવી વાત કરવાની જરૂર નહોતી. મારે પ્રધાનમંત્રીને જવાબ આપવાની કોઇ જરૂરત નથી.મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી અને પ્રધાનમંત્રી હસી-મજાકના મોડમાં હતા. રાહુલે કહ્યું કે હું જાણું છે કે PM કદાચ મારો ચહેરો ટીવી પર વધારે જોવાનું પસંદ કરતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં પણ ભારત માતા પર આક્રમણ થશે, ત્યાં હું રક્ષામાં ઉભેલો જોવા મળીશ. રાહુલે કહ્યુ કે દેશની રક્ષા માટે દરેક મોર્ચા પર હું હાજર રહીશ. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે, એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી ભૂલી ગયા છે કે મણિપુર સળગી રહ્યું છે અને કેટલાય દિવસોથી સળગી રહ્યું છે. તેમણે કહ્યું કે સંસદની વચ્ચે બેસીને PM હસી રહ્યા હતા. મુદ્દો હું કે કે કોંગ્રેસનો નહોતો. મુદ્દો એ હતો કે મણિપુરમાં શું થઇ રહ્યું છે અને તેને શા માટે રોકવામાં નથી આવતું. રાહુલે કહ્યું કે મણિપુરમાં ભાજપે હિંદુસ્તાનની હત્યા કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.