મણિપુર હિંસા પર સોનિયા ગાંધી વીડિયો સંદેશ આપતા બોલ્યા- એક માતાના રૂપમાં પોતાના..

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મણિપુરમાં હિંસા પર દુઃખ વ્યક્ત કરતા બુધવારે કહ્યું હતું કે, તેણે રાષ્ટ્રની અંતરાત્મા પર ઊંડો આઘાત કર્યો છે. તેમણે રાજ્યના લોકોને શાંતિ અને સૌહાર્દની અપીલ કરી અને આશા વ્યક્ત કરી કે મણિપુરના લોકો આ દુર્ઘટનાથી બહાર આવશે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશમાં કહ્યું કે, મણિપુરના પ્રિય ભાઈઓ અને બહેનો, છેલ્લા લગભગ 50 દિવસોથી આપણે મણિપુરમાં એક મોટી માનવીય દુર્ઘટના જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, આ હિંસાએ તમારા રાજ્યમાં હજારો લોકોનું જીવન ઉજાડી દીધું છે. આ ઘટનાએ રાષ્ટ્રની અંતરાત્મા પર એક ઊંડો આઘાત કર્યો છે. તેમનું કહેવું હતું કે, મારી એ બધા પ્રત્યે ઊંડી સંવેદના છે, જેમણે આ હિંસામાં પોતિકાઓને ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે લોકો એ જગ્યાને છોડીને જવા માટે મજબૂર છે, જેને તેઓ પોતાનું ઘર કહે છે. પોતાના જીવનભરનું બનાવેલું બધુ પાછળ છોડીને જાય છે. શાંતિપૂર્વક એક-બીજા સાથે રહેનારા આપણાં ભાઈ-બહેનોને એક-બીજા વિરુદ્ધ થતા જોવું ખૂબ દુઃખદ છે.

સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ, મણિપુરના ઇતિહાસમાં અલગ અલગ જાતિ, ધર્મ અને પૃષ્ઠભૂમિના લોકોને ગળે લગાવવાની શક્તિ અને ક્ષમતા છે. આ એક વિવિધ સમાજની સંભાવનાઓનું પ્રમાણ છે. ભાઇચારાની ભાવના જીવિત રાખવા માટે વિશ્વાસ અને સદ્વભાવનાની જરૂરિયાત હશે, તો નફરત અને વિભાજનની આગને ભડકાવવા માટે માત્ર એક ખોટા પગલાંની. તેમણે કહ્યું કે, એક માતાના રૂપમાં તેમના દર્દને સમજુ છું. હું તમને એ નિવેદન કરું છું કે, હું તમને બધાને નિવેદન કરું છું કે પોતાની અંતરાત્માનો અવાજ ઓળખો. મને આશા છે કે આગામી સમયમાં પરસ્પર વિશ્વાસને મજબૂતીથી પુનર્નિર્માણ કરીશું.

સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, મણિપુરના લોકો પાસે ખૂબ આશા છે અને તેમના ઉપર ખૂબ વિશ્વાસ છે. હું જાણું છું કે આપણે બધા મળીને આ પરીક્ષાના સમયને પણ પાર કરી લઈશું. મણિપુરમાં મેઇતી અને કુકી સમાજ વચ્ચે એક મહિના અગાઉ ભડકેલી હિંસામાં 100 કરતા વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાના મેઇતી સમાજની માગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચનું આયોજન બાદ હિંસક ઘર્ષણો શરૂ થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.