સુકેશનો વધુ એક લેટર બોમ્બ-તિહાડમાં મનીષ સિસોદિયાને મળી રહી છે VVIP સર્વિસ

દિલ્હીની આબકારી નીતિમાં કૌભાંડને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાડ જેલમાં બંદ છે. આ જેલમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પણ બંધ છે. સુકેશ ચંદ્રશેખર તરફથી દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને વધુ એક ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં તેણે મનીષ સિસોદિયાને જેલમાં VVIP ટ્રીટમેન્ટ આપવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ ઉપરાજ્યપાલ પાસે માગ કરી છે કે, તેઓ આ આખા મામલાની તપાસ કરાવે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

તેણે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાની અસુરક્ષાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલના વોર્ડ નંબર-9માં રાખવામાં આવ્યા છે, જે સૌથી VVIP વોર્ડ છે. આ વોર્ડ-9માં સુબ્રતો રાય સહારા, અમર સિંહ, એ. રાજા, સુરેશ કલમાડી, સંજય ચંદ્રા જેવા કેદીઓને રાખવામાં આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે પોતાની ચિઠ્ઠીમાં આગળ કહ્યું કે, જેલ પ્રશાસન પૂરી રીતે આમ આદમી પાર્ટીના હાથની કઠપૂતળી બની ચૂક્યું છે.

સત્યેન્દ્ર જૈન જેલ કર્મચારીઓ પર નિયંત્રણ રાખે છે. મનીષ સિસોદિયાના ટ્વીટર હેન્ડલથી આજે કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યું છે કે, સાહેબ જેલમાં નાખીને મને કષ્ટ પહોંચાડી શકે છે, પરંતુ મારા હોસલાને તોડી નહીં શકે, કસ્ટ અંગ્રેજોએ પણ સ્વતંત્ર સેનાનીઓને આપ્યા, પરંતુ તેમના હોસલા ન તૂટ્યા. આ અગાઉ તેમણે ટ્વીટ કરી હતી કે, ‘આજ સુધી સાંભળ્યું હતું કે દેશમાં શાળા ખૂલે છે, તો જેલ બંધ થાય છે, પરંતુ હવે આ લોકોએ તો દેશમાં શાળા ખોલનારાઓને જ જેલમાં બંધ કરવાની શરૂઆત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાને CBI બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રીમાંડમાં મોકલવામાં આવ્યા છે. તો CBIની ધરપકડ વિરુદ્ધ તેમની જામીન અરજીને સુનાવણી માટે 21 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટમાં 10 માર્ચની ઉપસ્થિતિ દરમિયાન સિસોદિયાની ધરપકડ પર મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે, સત્યની જીત થઈ છે, હવે આગામી વારો કેજરીવાલનો છે. આ કેસમાં કેજરીવાલ વજીર છે, એક-એકનો પર્દાફાસ કરીશ. આ કેસમાં હજુ વધારે ધરપકડ થશે.

અરવિંદ કેજરીવાલ પોતાના ટાસ્કને સારી રીતે નિભાવી રહ્યા છે. આબકારી નીતિ સાથે મારું કોઈ લેવું-દેવું નથી. સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગરીબ બાળકોના અભ્યાસમાં કૌભાંડ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનાથી થોડા દિવસ અગાઉ ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં દાવો કર્યો હતો કે, પહેલા બાળકોને ટેબલેટ વહેચવાને લઈને જે ડ્રાફ્ટ તૈયાર થયો હતો, તેનું ટેન્ડર 20 ટકા વધારે આપવાની લાલચમાં બીજી કંપનીને આપી દેવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.