સિસોદિયાને મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે કેજરીવાલ? જાણો મનોજ તિવારીએ શું કહ્યું

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP)એ હાલમાં જ એવો દાવો કર્યો હતો કે, જેલમાં મનીષ સિસોદિયાની હત્યા કરાવી શકાય છે. આમ આદમી પાર્ટીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું છે. મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીની જેલો દિલ્હી સરકારને આધીન આવે છે એટલે કે અરવિંદ કેજરીવાલને આધીન. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્ય જાણે છે.

મનોજ તિવારીએ કહ્યું કે, તેમના પોતાના સહયોગી મનીષ સિસોદિયાને જેલની અંદર જીવનું જોખમ કઈ રીતે હોય શકે છે? શું અરવિંદ કેજરીવાલ મનિષ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે? કેમ કે તેઓ તેમના રહસ્યોને ઉજાગર કરી શકે છે? એવી ધારણાઓ બનાવવામાં આવી રહી છે કે, મનીષ સિસોદિયાને ભાજપથી જોખમ છે. હું જેલ અધિકારીઓને મનીષ સિસોદિયાને સર્વોતમ સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરું છું.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, મનીષ સિસોદિયા સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલની એ સેલમાં રાખવામાં આવ્યા, જ્યાં સૌથી વધુ ખૂંખાર અને વ્યવસાયી ગુનેગાર બંધ છે. તેમને તેની પાછળ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે. મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. હોળીના દિવસે તો દુશ્મન ગળે પણ મળી જાય છે, પરંતુ મોદી સરકાર હોળીના દિવસે પોતાના રાજનૈતિક દુશ્મનોની હત્યાની પ્લાનિંગ કરી રહી છે.

સંજય સિંહે જેવા જ આરોપ લગાવ્યા, ત્યારબાદ ભાજપે પણ જવાબ આપ્યો. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાની હત્યાની આશંકા તો તેમને પણ છે, પરંતુ આ હત્યા આમ આદમી પાર્ટી જ કરાવી શકે છે કેમ કે અરવિંદ કેજરીવાલને પોતાના રહસ્ય ખુલવાનો ડર છે અને તિહાડ જેલ પણ દિલ્હી સરકારના અંડરમાં આવે છે. મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં હાઇ સિક્યોરિટી મળવી જોઈએ. તો જેલ પ્રશાસને આમ આદમી પાર્ટીના આરોપોનું ખંડન કર્યું છે.

જેલ પ્રશાસનનું કહેવું છે કે, જેલમાં તેમને રાખવાને લઈને લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે. તિહાડ જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, મનીષ સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને અલગ વોર્ડ આપવામાં આવ્યો છે. જેલ નંબર-1માં ઓછા કેદી હોવાના કારણે મનીષ સિસોદિયાને ત્યાં રાખવામાં આવ્યા છે. સિસોદિયા સાથે બંધ કોઈ પણ કેદી ગેંગસ્ટર નથી અને જેલમાં તેમનો વ્યવહાર સારો છે. એક અલગ સેલ હોવાના કારણે સિસોદિયા ધ્યાન લગાવવા જેવા બીજા કામ કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના કરી શકે છે. બધી વ્યવસ્થાઓ જેલના નિયમના હિસાબે કરવામાં આવી, જેથી સિસોદિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.