મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, પથ્થરબાજી, લાઠીચાર્જમાં 38 પોલીસકર્મીને ઈજા

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ માટેનું આંદોલન આંદોલનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણમાં ફેરવાઈ ગયું. જાલના જિલ્લાના અંતરવાલી સારથીમાં પોલીસે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ઘણા લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કેટલાક ઇજાગ્રસ્તો આંતરવલી ગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

મીડિયા સાથેની વાતમાં એક તબીબે જણાવ્યું હતું કે તેમની પાસે 30થી 40 લોકો પ્રાથમિક સારવાર માટે આવ્યા હતા. કેટલાક લોકોના શરીરમાંથી લોખંડના છરા પણ કાઢવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. આંદોલનમાં ઇજા પામેલા લોકોઅ મીડિયાને કહ્યું હતું કે, અમારું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ તુટી પડી હતી અને લાઠી ચાર્જ કરી દીધો હતો. પોલીસના લાઠી ચાર્જમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો પણ ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ માટેનો વિરોધ શુક્રવારે હિંસક બન્યો, જેમાં 38 પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા. અંબાડ તાલુકામાં ધુલે-સોલાપુર રોડ પરના અંતરવાલી સારથી ગામમાં હિંસક ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ગ્રામીણ લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે હવામાં કેટલાંક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતું. જો કે અધિકારીઓએ ફાયરીંગની પૃષ્ટિ કરી નથી.

મનોજ જરાંગેના નેતૃત્વમાં વિરોધીઓ મંગળવારથી મરાઠા સમુદાય માટે અનામતની માંગ સાથે ગામમાં ભૂખ હડતાળ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પોલીસે ડોક્ટરોની સલાહ પર જરાંગેને હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સમસ્યા શરૂ થઈ.

જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાંત રહેવાની અપીલ કરી હતી અને જાહેરાત કરી હતી કે હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવશે.નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે પથ્થરબાજી પછી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

રાજકીય રીતે પ્રભાવિત મરાઠા સમુદાયને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી અનામતને અગાઉ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આંદોલન હિંસક બન્યું હતું કારણ કે કેટલાક લોકોએ રાજ્ય પરિવહનની બસો અને ખાનગી વાહનોને નિશાન બનાવ્યા હતા.જાલના જિલ્લાના પોલીસ અધિક્ષક તુષાર દોશીએ મોડી રાત્રે જણાવ્યું કે પથ્થરમારામાં 32 પોલીસકર્મીઓ અને છ અધિકારીઓ ઘાયલ થયા છે.

તેમણે તેમને જણાવ્યું કે ગંભીર ઈજાગ્રસ્તોની જાલના સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોમાં બે નાયબ પોલીસ અધિક્ષક અને પાંચ મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેએ પણ પોલીસ દ્વારા બળપ્રયોગની નિંદા કરી અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું કે પોલીસે કોના આદેશ પર લાઠીચાર્જ કર્યો હતો?

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ફડણવીસે કહ્યું હતું કે કેટલાંક પ્રદર્શનકારીઓએ પોલીસને ઘેરી લીધી હતી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યુ કે,સરકાર કોઈપણ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકવાની મંજૂરી આપી શકે નહીં.પોલીસે એવી રીતે લાઠીચાર્જ કર્યો કે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી. જો પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ ન કર્યો હોત તો સ્થિતિ વધુ વણસી હોત.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.