‘મા, હું જલદી જ મિશન..’ રડાવી દેશે રાજૌરીમાં શહીદ થયેલા પ્રમોદના અંતિમ શબ્દ

જમ્મુ વિભાગના રાજૌરીમાં શુક્રવારે આતંકવાદીઓ સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા હતા. તેમાં ઉત્તરાખંડના રહેવાસી રૂચીન સિંહ રાવત, પશ્ચિમ બંગાળના સિદ્ધાંત ક્ષેત્રી, જમ્મુ-કશ્મીરના નીલમ સિંહ અને હિમાચલ પ્રદેશના અરવિંદ કુમાર અને પ્રમોદ નેગી શહીદ થઈ ગયા. સિરમોર જિલ્લાના રહેવાસી પ્રમોદ નેગી લગભગ 6 વર્ષ અગાઉ દેશની સેવા માટે સ્પેશિયલ ફોર્સમાં ભરતી થયા હતા. તેમની તૈનાતી જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં હતી. શુક્રવારે જેવી જ તેમની શહીદીના સમાચાર સિલાઈ ક્ષેત્રમાં પહોંચી તો આખા વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ.

પ્રમોદ નેગીના પરિવારમાં તેમની માતા તારા દેવી, પિતા દેવેન્દ્ર નેગી, બહેન અને નાનો ભાઈ છે. ભાઈ પણ સેનામાં છે. પ્રમોદના અત્યારે લગ્ન થયા નહોતા. જ્યારે તેમનો પાર્થિવ દેહ હિમાચલ પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો, તો રાજ્યની સીમા પર પૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ ભીની આંખે વિદાઇ આપી. આ દરમિયાન લોકોએ ‘ભારત માતા કી જય’, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા પ્રમોદ નેગી તેરા નામ રહેગા’ના નારા લગાવ્યા. મિશન પર જવા પહેલા પ્રમોદે પોતાની માતા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘મા, હું જરૂરી મિશન પર જઈ રહ્યો છું. થઈ શકે 10 દિવસ મોબાઈલ બંધ રહે. ચિંતા ન કરતા. હું જલદી જ મિશન ફતેહ કરીને આવીશ. તેમણે ગુરુવારે રાત્રે 11:00 વાગ્યે પોતાની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન ઘરની હાલ-ચાલ પૂછ્યા હતા. તેના આગામી દિવસે પરિવારજનોને 12:00 વાગ્યે દીકરાની શહીદીના સામાચાર મળ્યા. પરિવારજનો અને સંબંધી વારંવાર પ્રમોદના છેલ્લા શબ્દોને યાદ કરીને બેભાન થઈ રહ્યા છે. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે હાલ-ચાલ લીધાના ગણતરીના કલાકો બાદ એવા સમાચાર મળશે.

આ જ ઘર્ષણમાં કાંગડા જિલ્લાના અરવિંદ કુમારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમના પૈતૃક ગામ મરૂહમાં શોકનો માહોલ છે. આજે તેમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચશે. ખરાબ હવામાનના કારણે ઉધમપુરથી અરવિંદનો પાર્થિવ દેહ એરલિફ્ટ થઈ શક્યો નહોતો. એવામાં ઉધમપુરથી રોડ માર્ગે પાર્થિવ શરીર રવાના કરવામાં આવ્યું છે. અરવિંદના પરિવારજનોએ જણાવ્યું કે, તે બાળપણથી ખૂબ જ સાહસી અને પ્રતિભાશાળી હતા. વર્ષ 2010માં પંજાબ રેજિમેન્ટમાં ભરતી થયા હતા. તેમના માત્ર થોડા વર્ષોમાં જ તેમને સ્પેશિયલ ફોર્સમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.