શહીદ યોગેશના પિતા બોલ્યા- ‘એક શું 4 દીકરા હોત તો પણ સેનામાં મોકલત’

જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા લાન્સ નાયક યોગેશ કુમારનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આતંકવાદીઓના સફાયા માટે અનંતનાગમાં ચાલી રહેલા સેનાના ઓપરેશનમાં ચૂરૂના રહેવાસી યોગેશ કુમારે લડતા લડતા પોતાની શહીદી આપી દીધી. યોગેશ કુમારની શહીદી થવાની જાણકારી મળતા જ આખા જિલ્લામાં શોકની લહેર પ્રસરી ગઈ. 14 RR લાન્સ નાયક યોગેશ કુમાર સ્પોર્ટ્સ કોટાથી 9 વર્ષ અગાઉ સેનામાં ભરતી થયા હતા.

એકમાત્ર દીકરો શહીદ થવા પર પૃથ્વી સિંહે કહ્યું કે, જો 4 દીકરા પણ હોત તો બધાને દેશ સેવામાં મોકલતો, હવે પોતાને સેનામાં ભરતી કરવા તૈયાર કરીશ. શહીદ થયેલા યોગેશ કુમારના કાકા રણધીર સિંહે કહ્યું કે, યોગેશ વર્ષ 2013માં સ્પોર્ટ્સ કોટાથી કોન્સ્ટેબલના પદ પર 18 કેવલરી બટાલિયન (I)માં ભરતી થયા હતા. યોગેશન દાદા પણ સેનામાં હતા. આનંતનગમાં સર્ચ ઓપરેશનમાં શહીદ થયેલા યોગેશ કુમારના મિત્ર ધારેન્દ્ર છિંપીએ જણાવ્યું કે, યોગેશ ખૂબ બહાદુર અને જાંબાજ હતો.

શનિવારની રાત્રે સર્ચ ઓપરેશન દરમિયાન યોગેશ કુમાર પર્વત ઉપર તૈનાત હતા અને લગભગ 11:30 વાગ્યાથી 12:00 વાગ્યા વચ્ચે આતંકવાદીઓ સામે તેમનો સીધો સામનો થયો. આતંકવાદીઓની ગોળી લાગવાથી યોગેશ કુમાર શહીદ થઈ ગયા. સેનાના અધિકારી કેપ્ટન દીલિપ સિંહે જણાવ્યું કે, શહીદ યોગેશનું પાર્થિવ દેહ સોમવારે સવારે 09:30 વાગ્યે દિલ્હી અને લગભગ 02:30 વાગ્યે રાજગઢ પહોંચવાની આશા છે. પૃથ્વી સિંહના ઘેર જન્મ લેનાર શહીદ યોગેશ પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.

તેઓ સેનાના 18 કેવલરી બટાલિયનથી 14 રાષ્ટ્રીય રાઈફલ્સ ડેપુટેશન પર તૈનાત હતા. શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા તેમણે શહીદી આપી. યોગેશ પોતાની પાછળ એક 4 વર્ષનો દીકરો અને 9 મહિનાની દીકરી છોડી ગયા છે. તેમની પત્ની સ્વાસ્થ્ય વિભાગમાં GNM પદ પર તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર વેલીના અનંતનાગ જિલ્લામાં છઠ્ઠા દિવસે પણ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાબળો માટે જિલ્લાના કોકરનાગના ગડૂલના ગાઢ જંગલ અને સીધા પર્વત પડકાર બની રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ જંગલ અને પર્વતો વચ્ચે બનેલી પ્રાકૃતિક ગુફાઓ વચ્ચે આતંકીઓ છુપાયા છે. આ સ્થળીને ધ્વસ્ત કરવા માટે સુરક્ષાબળોએ આધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન, રોકેટ લોન્ચર, IED વગેરેનો પ્રયોગ કરીને આતંકવાદીઓના 5 સ્થળોને મલિયામેટ કરી દીધા છે. અહીં એક સળગેલું શબ પણ મળ્યું છે જે માનવામાં આવી રહ્યું છે કે આતંકીનું છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.