દીકરી સાથે ક્રૂરતા પર લોકોએ ઘેર્યુ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન, AAP MLAની ગાડી તોડી

કંઝાવાલા કાંડમાં દિલ્હીના લોકોનો ગમ અને ગુસ્સો વધતો જઇ રહ્યો છે. પોલીસ પર બેદરકારી રાખવાનો આરોપ લગાવી રહેલા લોકોએ સોમવારે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. આ દરમિયાન ત્યાં પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય રાખી બિરલાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. લોકોએ આરોપ લગાવ્યો કે, તેઓ 2 દિવસ બાદ રાજનીતિ કરવા આવ્યા છે. તો રાખી બિરલાએ કહ્યું કે, લોકોએ પોલીસની ગાડી સમજીને ઘેરી હતી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. વિરોધ છતા પીડિત પરિવાર સાથે ધરણા પર બેઠા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલાએ કહ્યું કે, લોકોનો ગુસ્સો યોગ્ય છે. પોલીસ પ્રશાસનનું નરમ વલણ છે.

લોકોનો ગુસ્સો મારા પર કે મારી ગાડી પર ઉતારવાથી કોઈ ફરક પડતો નથી. આપણી દીકરીને ન્યાય મળવો જોઈએ. એ હેવાનોને ફાંસીની સજા મળવી જોઈએ. લોકોને લાગ્યું કે તે પોલીસની ગાડી છે. નવા વર્ષની રાત્રે સ્કૂટી પર સવાર યુવતીને ટક્કર માર્યા બાદ કાર સવાર 5 આરોપી તેને 12 કિલોમીટર સુધી ધસડી લઈ ગયા. પરિવાર હત્યા અગાઉ રેપ અને નિર્ભયા જેવી ક્રૂરતાનો આરોપ લગાવી રહ્યો છે. તો પોલીસે દુર્ઘટના અને ગેર ઇરાદે હત્યાનો કેસ દાખલ કર્યો છે.

પોલીસ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવતા સોમવારે સવારે મોટી સંખ્યામાં લોકો સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન પર ભેગા થઈ ગયા. લોકો આરોપીઓને ભીડના હવાલે કરવાની માગ કરતા દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. લોકોએ તેમની ગાડીને પણ ઘેરી લીધી. મહિલાઓએ ગાડી પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને ખૂબ તોડ ફોડ કરી. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય બે દિવસ બાદ ત્યાં રાજનીતિ કરવા પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે, આરોપીઓમાં ભાજપના નેતા પણ સામેલ છે. એટલે પોલીસ તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.

કંઝાવાલા ઘટના પર આમ આદમી પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એવા લોકોને ફાંસી મળવી જોઇએ. આ ઘટના ખૂબ જ શરમજનક છે. સમજમાં આવતું નથી કે આપણો સમાજ કઈ તરફ જઇ રહ્યો છે. કેટલાક છોકરાઓએ એ છોકરીને પોતાની ગાડીથી કિલોમીટરો સુધી ધસડી. તેનું દર્દનાક મોત થઈ ગયું. અત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે જે પણ તેનો રિપોર્ટ આવશે. હું આશા રાખું છું કે, આરોપીઓ જેટલા પણ પહોંચવાળા હોય તેમને સખતમાં સખત મળવી જોઈએ. પત્રકારની ધરપકડની વાત ખોટી છે. અવાજ ઉઠાવનારાઓની ધરપકડ નહીં કરી શકીએ. કોઈ પણ હોય હું તેમાં જવા માગતો નથી. સખત સજા મળવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.