આ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને જતા નહીં, દર્શન નહીં થાય

શ્રીકૃષ્ણની નગરી મથુરા વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. લાખો લોકો અહીં રાધા-કૃષ્ણની ભક્તિથી તરબોળ થવા માટે જાય છે. આ દરમિયાન એક પોસ્ટર હાલના દિવસોમાં આખા વ્રજ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં મંદિરની અંદર ફેશનેબલ (અમર્યાદિત) કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મથુરાના વૃંદાવનમાં રાધા દામોદર મંદિરની અંદર અમર્યાદિત (નાના કપડાં) વસ્ત્ર પહેરીને આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નિર્ણય સુપ્રસિદ્ધ સપ્ત દેવાલયોમાંથી એક રાધા દામોદર મંદિરના મેનેજમેન્ટ તરફથી લેવામાં આવ્યો છે, જેના માટે રીતસરનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, મંદિરમાં મર્યાદિત વસ્ત્ર જ પહેરીને જ આવો. પોસ્ટર દ્વારા મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ અનુશાસિત વસ્ત્ર જ પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. મંદિર તરફથી જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં 2 તસવીર બનેલી છે. તેમાંથી એક વ્યક્તિ શોર્ટ્સમાં નજરે પડે છે, જ્યારે મહિલા સ્કર્ટ પહેરીને નજરે પડે છે.

એવામાં બંને જ તસવીરને લાલ રંગથી ક્રોસ કરવામાં આવી છે. તસવીર દ્વારા મંદિરે સાંકેતિક રૂપે જણાવ્યું છે કે, આ પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે. તો મંદિર મેનેજમેન્ટ તરફથી એક ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સનાતની સંસ્કૃતિ અનુસાર કુરતો પાયજામો, સાડી, સલવાર કમીઝ, લહેંગો ચોળી અને સાધારણ કપડાં પહેરીને રાધા દામોદર મંદિરમાં દર્શન માટે પ્રવેશ મળી શકે છે. મંદિરના ગેટ પર જ બોર્ડ દ્વારા પુરુષ અને મહિલાઓને તેમના વસ્ત્રોને લઈને અપીલ કરવામાં આવી છે. મંદિર સેવાયત દામોદર ચંદ્ર ગોસ્વામીએ કહ્યું કે, સનાતન પરંપરાની સભ્યતા ખૂબ જૂની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના કપડાં આપણાં સનાતન ધર્મઆ પર હાવી થઈ રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે ભગવાન સામે દર્શન કરવા માટે જવાનું હોય છે તો એક મર્યાદા હોય છે. તેના માટે અમે શ્રદ્ધાળુઓને નિવેદન કર્યું છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. સાથે જ અન્ય મંદિરોના સંચાલકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ આ પ્રકારના નિયમ લાગૂ કરે. એક રિપોર્ટ મુજબ અત્યારે મંદિરમાં કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. અત્યારે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા માટે આવે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.