અરશદ મદની કહે- મર્દ 80 સુધી રહે છે જુવાન, તેને 4 લગ્નનો હક, મહિલા તો...

જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ બહુ વિવાહને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે દાવો કર્યો કે, ઇસ્લામ મુજબ, પુરુષ 3-4 લગ્ન કરી શકે છે. સ્ત્રીઓ 45-50 વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ થઈ જાય છે, જ્યારે પુરુષ 80 વર્ષની ઉંમર સુધી યુવાન રહી શકે છે. મૌલાના મદનીનું નિવેદન એવા સમય પર આવ્યું છે, જ્યારે દેશમાં સમાન નાગરિક સંહિતા પર બહેસ છેડાઈ છે અને ત્રિપલ તલાક, બહુ વિવાહ જેવી સામાજિક કુપ્રથાઓ પર રોક લગાવવની માગ તેજ છે.

મદનીના નિવેદનની નિંદા કરતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યું કે, આ એ વિચારની અસર છે, જેમાં મહિલાઓને ભોગની વસ્તુ સમજવામાં આવે છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે એટલે મદનીની વાતો પર કોઈ આશ્ચર્ય નથી. આ અગાઉ પણ ઘણી વખત મૌલાના અરશદ મદની કહી ચૂક્યા છે કે ઇસ્લામ મુજબ, પોતાની જરૂરિયતો પૂરી કરો. એવામાં પુરુષ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા લગ્ન કરી શકે છે. એક કરે, બે કરે ત્રણ કરે કે ચાર કરે. અથવા તો તે છૂટાછેડા આપીને ચોથા લગ્ન કરે કે બધાને સાથે લઈને ચાલે.

વિધિ આયોગ દ્વારા સમાન નાગરિક સંહિતા પર માગવામાં આવેલા સૂચનોને લઈને ટી.વી. ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષે કહ્યું કે, અમે તેને કબૂલ કરતા નથી. 1300 વર્ષોથી મુસ્લિમ આ દેશમાં રહેતા આવ્યા છે. પહેલા આ મામલો ક્યારેય આવ્યો નથી. હવે એવી કઈ આફત આવી ગઈ છે? તેમાં કોઈ શંકા નથી કે UCC કબૂલ નથી, પરંતુ અમે તેની વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરીએ. અમે વિધિ આયોગ સામે પોતાના વિચાર રજૂ કરીશું. અમે એમ કરવાની શરૂઆત પણ કરી છે.

યુનિફોર્મ સિવિલ કોડને લઈને હલચલ વધી ગઈ છે. જમિયત ઉલેમા-એ-હિન્દે તેનો ખૂલીને વિરોધ કર્યો છે. જમીયતે સોમવારે દાવો કર્યો કે, સમાન નાગરિક સંહિતા સંવિધાન હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ છે. તે સંવિધાનમાં આપવામાં આવેલા મૌલિક અધિકારો વિરુદ્ધ છે. આ મુસ્લિમો માટે અસ્વીકાર્ય છે અને દેશની એકતા અને અખંડતા માટે હાનિકારક છે. જમિયતના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આ મામલો માત્ર મુસ્લિમ સંબંધિત નથી, પરંતુ બધા ભારતીય સાથે જોડાયેલો છે. જમિયત કોઈ પ્રકારના ધાર્મિક મામલાઓ અને કોઇની અસ્થા સાથે સમજૂતી નહીં કરી શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.