ઓમ અને અલ્લાહ એક છે, અરશદ મદનીના નિવેદનથી ગુસ્સે થઈ જૈન મુનિ તો સ્ટેજ....

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે જમીયત ઉલેમા-એ હિન્દના કાર્યક્રમમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતના નિવેદન પર જવાબ આપ્યો હતો. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, તમારા પૂર્વ હિન્દુ નહીં, મનુ હતા એટલે કે આદમ. ઓમ અને અલ્લાહ એક છે. તેમના આ નિવેદનથી ઘણા ધર્મગુરુઓએ આપત્તિ દર્શાવી અને વિરોધમાં મંચ છોડીને જતા રહ્યા. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રોગ્રામમાં મદની સંઘ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોનાં પૂર્વજ એક જેવા છે.

મૌલાના મદનીના નિવેદનનો જૈન મુનિ લોકેશે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, આ અધિવેશન લોકોને જોડવા માટે થઈ રહ્યું છે. એવામાં આ નિવેદન ક્યાં ઉચિત છે. જૈન મુનિ લોકેશે મંચ પર આ વાત કહી. ત્યારબાદ તેઓ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ ઘણા અન્ય ધર્મોના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો. રિપોર્ટ્સ મુજબ, મદનીએ કાર્યક્રમમાં કહ્યું કે, પયગંબરનું અપમાન મુસ્લિમ મંજૂર નહીં કરે.

મોહમ્મદ સાહેબ વિરુદ્ધ નિવેદન ન આપવા જોઈએ. ભારતમાં અત્યારે શિક્ષણનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે એ ઉચિત નથી. બીજા ધર્મોના પુસ્તક થોપવા ન જોઈએ. એ સંવિધાન વિરુદ્ધ છે. જમીયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અસદ મદની હતા, તેમનું વર્ષ 2003માં નિધન થઈ ગયું. ત્યારબાદ જમીયતની ઉલેમા-એ-હિન્દની આગેવાનીને લઈને જમીયત ઉલેમા-એ-હિન્દના હાલના ચીફ મહમૂદ મદની પોતાના કાકા મૌલાના અરશદ મદની સાથે વિવાદ થઈ ગયો.

લાંબા ઝઘડા બાદ જમીયત લેમા-એ-હિન્દ બે હિસ્સામાં વહેચાઈ ગયું. એક જૂથની આગેવાની મહમૂદ મદની અને બીજા ગ્રુપની આગેવાની અરશદ મદની કરવા લાગ્યા. બંનેએ પોત પોતાની જમીયત ઉલેમા-એ-હિંદનું રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ લઈ લીધું હતું. જો કે, ગયા વર્ષે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

જમીયત લેમા-એ-હિન્દના ચીફ મહમૂદ મદનીએ શનિવારે કહ્યું હતું કે, ભારત જેટલું મોદીનું છે, ભાગવતનું છે, એટલું જ મદનીનું પણ છે. અમે RSS અને તેમાં સર સંઘ ચાલકને આમંત્રણ આપીએ છીએ કે, અરસપરસ મતભેદ અને દુશ્મની ભૂલીને એક-બીજાને ગળે લાગીએ અને દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી. તમને પણ ઇસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને RSS સાથે અમારો કોઈ મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.