જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે તેઓ ગદ્દાર છે: હસન મદની

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાની કથાઓમાં મોટા ભાગે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે. તેઓ કહે છે કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે અને તેઓ તેના માટે બધા જતન કરી રહ્યા છે. હવે ઈસ્લામિક સંગઠન જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીના ભત્રીજા હસન મદનીએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેણે કહ્યું કે, જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે એ બધા લોકો ગદ્દાર છે. મુંબઈના આઝાદ મેદાનમાં જમીયત ઉલેમા એ હિન્દના અધિવેશનમાં હસન મદનીએ બોલતા કહ્યું કે, આ દેશની અંદર મુસ્લિમોને ડરાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હસન મદનીએ કહ્યું કે, જે લોકો આ પ્રકારે ધર્મ બદલાવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે, તેમણે સમજવું જોઈએ કે મુસ્લિમ કોઇથી ડરતો નથી. એક સાચો મુસ્લિમ પોતાના અંતિમ શ્વાસ સુધી મુસ્લિમ જ રહે છે. જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે, એ બધા લોકો ગદ્દાર છે. જો હિન્દુ દેશ બનાવવાની વાત કરનારા ગદ્દાર નથી, તો મુસ્લિમ દેશની માગ કરનારા પણ ગદ્દાર નહીં કહેવાય. આજે દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આપણે દેશને બચાવવા માટે માથે કફન બાંધવા માટે આપણ તૈયાર છીએ.

જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ સૈયદ અરશદ મદનીએ રવિવારે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ફિરકા પરસ્તની જમાત બજરંગ દળને બંધ કરવાની વાત કહી હતી. જો તેમણે આ નિર્ણય 70 વર્ષ અગાઉ લીધો હોત તો દેશ બરબાદ ન થતો. તેમણે એમ કહ્યું હતો તો તેના પર અવાજો આવી રહ્યા હતા કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં તેને દાખલ કરીને ભૂલ કરી. હું સમજ્યો હતો કે ભૂલ નહીં, પરંતુ પોતાની ભૂલ સુધારવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે હાલમાં જ સંપન્ન થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પોતાના ઘોષણાપત્રમાં પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને બજરંગ દળ જેવા સંગઠનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, બજરંગ દળ અને PFI જેવા સંગઠનો વિરુદ્ધ રાજ્યમાં જાતિ અને ધર્મના આધાર પર નફરત ફેલાવવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જાતિ અને ધર્મના આધાર પર સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર સંગઠનો વિરુદ્ધ સખત અને નિર્ણાયક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.