મૌલાના સાજિદ રશીદીનું વિવાદિત સ્ટેટમેન્ટ, સોમનાથ મંદિર પરના હુમલાને યોગ્ય કહ્યો

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદી પોતાના વિવાદિત સ્ટેટમેન્ટને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે અને હવે તેમણે ફરીથી એક વખત પોતાના સ્ટેટમેન્ટથી વિવાદ ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર થયેલા હુમલાને યોગ્ય કહ્યો છે અને કહ્યું છે કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી.

મૌલાના સાજિદ રશીદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાંથી મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી, જેને રોકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હુમલો કરીને મંદિરમાં થઈ રહેલા આ ખોટા કામોને રોકવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ છે. સોમાથ મંદિર પર મુઘલોના સમયમાં ઘણા હુમલાઓ કરવામાં આવ્યા હતા અને મંદિરનું વારંવાર ખંડન કરવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, ઈસાના પૂર્વમાં આ મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું અને આ જગ્યાએ સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ બીજી વખત મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું. જેના પછી આઠમી સદીમાં સિંધના અરબી ગવર્નર જુનાયદે સેના મોકલીને મંદિર પર હુમલો કર્યો હતો. તેના પછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 ઈ.સ.માં તેનું ત્રીજી વખત પુનનિર્માણ કરાવ્યું હતું. જેના પછી મહેમૂદ ગઝનવીએ હુમલો કરી મંદિરને ખંડિત કર્યું હતું, જેના પછી ગુજરાતના રાજા ભીમ અને રાજા ભોજે તેનું નિર્માણ કરાવ્યું.

તેના પછી મુઘલ બાદશાહ ઔરંગઝેબે વર્ષ 1706માં આ મંદિરને ફરીથી તોડી પાડ્યું. જેના પછી ભારતના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું નિર્માણ કરાવ્યું અને હાલના સમયમાં તે સોમનાથમાં સ્થિત છે. આ પહેલી વખત નથી જ્યારે મૌલાના સાજિદ રશીદીએ વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. રશીદી આ પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને તોડવાની ધમકી પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ દેશનો ઈતિહાસ લખવામાં આવશે. આ ઈતિહાસના આધારે અમારી આવનારી પેઢીઓ રામ મંદિર તોડીને મસ્જિદ બનાવશે. સોમનાથ મંદિર ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં સમુદ્ર કિનારે સ્થિત છે અને ભગવાન શિવનું પ્રતિષ્ઠિત મંદિર છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને લાખોની સંખ્યામાં રોજ ભક્તો તેમના દર્શને આવતા હોય છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે, આ મંદિરમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ બધા પાપ નષ્ટ થઈ જાય છે અને બધાની મનોકામના પૂરી થાય છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.