ઉત્તરાખંડમાં મઝાર જેહાદ નહીં ચલાવી લેવાશે, ગેરકાયદે કબ્જા અંગે CM ધામીનું કડક વલ

PC: m.uttarakhand.punjabkesari.in

ઉત્તરાખંડમાં સરકારી જમીનો પર કબરો દ્વારા ગેરકાયદે કબજો કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ સાથે ઉત્તરાખંડમાં વસ્તીનું અસંતુલન પણ વધી રહ્યું છે. CM પુષ્કર સિંહ ધામીનું કહેવું છે કે, ઉત્તરાખંડમાં મઝાર જેહાદ નહીં ચલાવી લેવામાં આવે. તે દેવભૂમિના શાશ્વત સ્વરૂપને બગડવા દેશે નહીં અને સરકાર મઝાર જેહાદ સામે કડક કાર્યવાહી કરશે. ભૂતકાળમાં, CM ધામી સરકારે દેહરાદૂનના પચવદુનમાં ગેરકાયદેસર કબરો પર બુલડોઝર ચલાવીને કબર જેહાદ ચલાવનારાઓને ચેતવણી પણ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાછળ કેટલાક દિવસો પહેલા પછવાદુનમાં જંગલની જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી ગેરકાયદેસર કબરો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી થોડા સમય માટે બંધ થતાં તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, ત્રણ તબક્કામાં કાર્યવાહી કરીને, ટાસ્ક ફોર્સે ઘણા કબરોને પણ તોડી પાડી હતી. જ્યારે હજુ વધુ ગેરકાયદે કબરો પર કાર્યવાહી કરવાની બાકી છે.

જો આમ જોવામાં આવે તો ઉત્તરાખંડમાં મઝાર જેહાદ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહી છે. દેહરાદૂનના પછવાદુન વિસ્તારમાં જ નહીં, પરંતુ પહાડી વિસ્તારોમાં પણ ખાસ સમુદાયો વિવિધ સ્થળોએ કબરો બનાવીને સરકારી જમીનો પર અતિક્રમણ કરી રહ્યાં છે. વનવિભાગના સર્વેમાં બહાર આવ્યું હતું કે જંગલની જમીન પર એક હજારથી વધુ ગેરકાયદેસર કબરોનું અતિક્રમણ કરવામાં આવ્યું છે, જે બાદ સરકારે વન વિભાગને આ કબરો હટાવવાનો આદેશ પણ આપ્યો હતો.

અહીં RSSના મુખપત્ર 'પાંચજન્ય'ને આપેલા ઈન્ટરવ્યુમાં CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, સરકાર એ તપાસ કરી રહી છે કે, કયા અધિકારીના કાર્યકાળ દરમિયાન જંગલની આરક્ષિત જમીનની અંદર કબરો બનાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વન વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે કે જંગલની જમીન પર એક હજારથી વધુ ગેરકાયદેસર કબરો બનાવવામાં આવી છે.

CMનું કહેવું છે કે, આ કોઈ પીર-બાબાની કબર નથી પરંતુ કબર જેહાદનો એક ભાગ છે અને અહીં અસામાજિક તત્વો વસવાટ કરે છે. અહીં નવાઈની વાત એ છે કે, જ્યાં માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે તેવા અનામત જંગલમાં કબરો બનાવવામાં આવી રહી છે અને વન વિભાગને તેની જાણ પણ નથી.

CM ધામીએ કહ્યું કે, તેમણે સરકારી જમીનને ગેરકાયદે અતિક્રમણથી મુક્ત કરવા સૂચના આપી છે. વનવિભાગે ગત દિવસોમાં શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત 100થી વધુ કબરોને તોડી પાડી છે જ્યારે અન્ય કબરોને પણ તોડી પાડવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. રોડની બાજુમાં જાહેર બાંધકામ વિભાગ અને મહેસૂલ વિભાગની જમીનો પર બનેલા મઝારોને દૂર કરવાની પણ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે, મોટાભાગની મઝારો રોડની બાજુઓ અને સરકારી જમીનો પર વર્ષ 2004ની આસપાસ કોંગ્રેસના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2012માં જ્યારે કોંગ્રેસની સરકાર આવી ત્યારે ફરીથી અહીં મઝાર જેહાદ શરૂ થઈ. જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 2004 પછી કોઈપણ ધાર્મિક સ્થળનું નિર્માણ કરી શકાય નહીં.

ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાંથી લોકો ઉત્તરાખંડમાં આવીને મઝાર જેહાદ ચલાવી રહ્યા છે અને અહીં સ્થાયી થઈ રહ્યા છે. આ રીતે વસ્તીનું અસંતુલન પણ વધી રહ્યું છે. સરકાર ટાસ્ક ફોર્સ બનાવીને આની તપાસ કરી રહી છે.

CM ધામીએ કહ્યું કે, સરકારે વિકાસનગર પરગણા વિસ્તારમાં લગભગ નવ કિલોમીટરના વિસ્તારમાંથી ગેરકાયદેસર અતિક્રમણ હટાવ્યા છે. અહીં અતિક્રમણ પર બુલડોઝરનો ઉપયોગ કરીને સરકારી જમીનો ખાલી કરાવવામાં આવી છે. સરકારની આ ઝુંબેશ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકારી જમીનો ગેરકાયદે અતિક્રમણમાંથી સંપૂર્ણ ખાલી નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp