અદાણી મામલે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય, વકીલની માગ પર સુપ્રીમનો નકાર

સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ પરના હિન્ડેનબર્ગ રિપોર્ટના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, અમે મીડિયા પર પ્રતિબંધ મૂકી શકીએ નહીં. અમે અમારો ચુકાદો આપીશું. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે શુક્રવારે એડવોકેટ ML શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી.

ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું, 'અમે મીડિયા સામે કોઈ આદેશ આપવાના નથી. અમારે જે કરવું હશે તે કરીશું. અમે અમારો ઓર્ડર બહાર પાડીશુ. હકીકતમાં, ML શર્માએ તેમની અરજીમાં માંગ કરી હતી કે, જ્યાં સુધી હિંડનબર્ગ રિપોર્ટની વિરુદ્ધ તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિની રચના કરવામાં ન આવે ત્યાં સુધી મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શર્માએ કહ્યું હતું કે, આ મામલે એક સમિતિની રચના કરવાની છે, જે તપાસ કરશે કે હિંડનબર્ગ રિપોર્ટ કોઈ ષડયંત્રનું પરિણામ છે કે નહીં.

આ પછી પણ અદાણી ગ્રુપ વિશે મીડિયામાં સતત સમાચારો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા અહેવાલોથી લાખો રોકાણકારો પ્રભાવિત થઈ રહ્યા છે. એટલા માટે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી મીડિયા પર રોક લગાવવી જોઈએ. આ દલીલોને ફગાવી દેતાં ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે પહેલાથી જ અમારો આદેશ અનામત રાખ્યો છે અને તેની ઘોષણા કરીશું. તમે કોઈ માન્ય દલીલ કરો. અમે મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નથી. અહીં તમને જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક કમિટી બનાવવાની માંગ પર સુનાવણી થઈ હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મીડિયા પર પ્રતિબંધની વાત હતી, જેમાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટમાં શું થઈ રહ્યું છે. શું તમે તમારા મગજની કસરત કરો છો? નાગરિકો આ બધા વિશે જાણવા માંગે છે. અમે અમારી હાઈકોર્ટનું મનોબળ ખતમ કરવા માંગતા નથી. તેઓ અમારી ન્યાયિક પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દલીલોની રજૂઆત દરમિયાન, ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઘણી ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે અને ઘણી વસ્તુઓ કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.