અમૃતપાલને લઈને પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન, DCP બોલ્યા- જ્યાં ઈચ્છે ત્યાં...

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કર્યા બાદ અત્યાર સુધી ફરાર છે. પોલીસ તેને પકડવા માટે ઠેર-ઠેર છાપેમારી કરી રહી છે. એવામાં અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિરમાં સરેન્ડર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પંજાબ પોલીસે તેના સરેન્ડરની સંભાવનાને લઈને નિવેદન આપ્યું છે. અમૃતસર પોલીસના DCP લૉ એન્ડ ઓર્ડર પરમિન્દર સિંહ ભંડાલનું કહેવું છે કે અમૃતપાલ જ્યાં ઈચ્છે ત્યાં સરેન્ડર કરી શકે છે. બધુ કાયદા મુજબ કરવામાં આવશે.

અમૃતસર અને તેની આસપાસ શાંતિ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. DCPએ આગળ કહ્યું કે, મીડિયામાં અમૃતપાલ અમૃતસરમાં સરેન્ડર કરવા પર રિપોર્ટ્સ આવ્યા છે. પોલીસ તેને ફોલો કરી રહી છે. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ અને સાથી પપ્પલપ્રીતને પકડવા માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે. પોલીસે બંનેના અલગ-અલગ લૂકની તસવીરો પણ રીલિઝ કરી છે. એક દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતા કે, અમૃતપાલ ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેણે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ અકાલ તખ્ત પર જઈને આત્મસમર્પણ કરવાનો પ્લાન બનાવ્યો છે. તેને જોતા પંજાબ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેકડોની સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ છેલ્લા 12 દિવસોથી ફરાર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેને ઘણા સ્થળો બદલ્યા છે. જ્યાં-જ્યાં તે સંતાતો ફરી રહ્યો છે ત્યાં-ત્યાં પંજાબ પોલીસ સિવાય દિલ્હી અને હરિયાણા પોલીસ પણ તેની પાછળ પહોંચી રહી છે.

આ અગાઉ 28 માર્ચની મોડી રાત્રે પંજાબ પોલીસે ફગવાડામાં એક અજાણ્યા વાહનનો પીછો કર્યો હતો, તેમ અમૃતપાલ હોવાની આશંકા હતી. પોલીસને પાછળ જોઈને હોશિયારપુરમાં મરનિયામાં ગુરુદ્વારા પાસે જ્યારે તે કાર પહોંચી હતી તો તેમ બેઠા લોકો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસને આશંકા હતી કે, ગાડીમાં જે લોકો ભાગી રહ્યા છે, તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત છે. ત્યારબાદ મરનિયા ગામમાં અને તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ પોલીસે મોડી રાત્રે અમૃતપાલને પકડવા માટે ડોર ટૂ ડોર ઓપરેશન પણ ચલાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.