કોંગ્રેસ બોલી- મેહુલ ‘ભાઈ’ ચોક્સી હવે વોન્ટેડ નથી રહ્યો, લોકો બોલ્યા..

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના કેસમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ પર જાહેર થયેલી રેડ કોર્નર નોટિસ હટાવી દેવામાં આવી છે. નોટિસ હવે ઇન્ટરપોલની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. મેહુલ ચોક્સીના વકીલ, વિજય અગ્રવાલે કહ્યું કે, અમારી કાયદાકીય ટીમના પ્રયાસો અને મારા ક્લાયન્ટના કેસની વાસ્તવિકતાના કારણે રેડ કોર્નર નોટિસ રદ્દ કરી દેવામાં આવી છે. અંતે સત્યની જીત થઈ. જો કે, હવે આ મામલે કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્સલ પરથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહિતો મેહુલ ‘ભાઈ’ ચોક્સી હવે વોન્ટેડ રહ્યો નથી. ભાગેડુ મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ હટાવી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે કે તમારા ‘મેહુલ ભાઈ’ને દેશ પરત ક્યારે લાવવામાં આવશે. 5 વર્ષથી ફરાર છે, હજુ કેટલો સામે જોઈએ?

તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મુદ્દાને લઈને કટાક્ષ કર્યો છે. મલ્લિકાર્જૂન ખડગેયે વિપક્ષી નેતાઓ માટે ED, CBI પર મોદીજીના ‘આપણાં મેહુલ ભાઈ’ માટે ઇન્ટરપોલમાંથી મુક્તિ. જ્યારે ‘પરમ મિત્ર’ માટે કરી શકે છે સંસદ ઠપ્પ, તો જૂનો મિત્ર, જેને કર્યો હતો 5 વર્ષ અગાઉ ફરાર, ભલું તેને મદદ કરવાની કેવી રીતે ના પાડી શકાય. ડૂબ્યાં દેશના હજારો-કરોડ, ‘ન ખાવા દઇશ’ બન્યો જમલો બેજોડ.’

સોશિયલ મીડિયા પર લોકો તેના પર જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હકીકત તો એ છે કે ઇન્ટરપોલ ન તો પોતાની જાતે રેડ કોર્નર નોટિસ જાહેર કરે છે અને ન પોતાની મરજીથી તેને હટાવે છે. મેમ્બર દેશના અનુરોધ પર જ એમ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભારત સરકારે રેડ કોર્નર નોટિસ હટાવવા કહ્યું છે. @GurjarAryaveer નામના યુઝરે લખ્યું કે, કથની અને કરણીમાં અંતર હોવાના કારણે, કોંગ્રેસને અદાણી કેસમાં જનતા અને કાર્યકર્તાઓનું સમર્થન મળી રહ્યું નથી. જ્યારે અદાણી પર મેહરબાન ગેહલોત પર કોંગ્રેસનું જોર ચાલતું નથી, તો ભલું મોદી પર શું દબાવ બનાવશે?

અશોક વસોયા નામના યુઝરે લખ્યું કે, મેહુલ ચોક્સી હવે ઇન્ટરપોલની નજરમાં ભાગેડુ રહ્યો નથી. ઇન્ટરપોલે તેના પરથી રેડ કોર્નર નોટિસ પરત લઈ લીધી છે. હવે ભારત છોડીને આખી દુનિયામાં ગમે ત્યાં આરામથી આવી જઈ શકે છે. સવાલ ઉઠે છે કે આ મહેરબાની પાછળ કોણ જવાબદાર? સરકાર જવાબ આપે. એક યુઝરે લખ્યું કે, અમૃતકાળનો સીધો લાભ દેશના ઠગો અને ભાગેડુને મળી રહ્યો છે, એવા લોકો પર જ મોદીજીની સરકાર નિયમને તાક પર રાખીને ખૂબ કૃપા વરસાવી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.