યોગી સરકારના મંત્રીને એક વર્ષની જેલની સજા, જાણો શું છે મામલો?

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના એક મંત્રીને કોર્ટે 9 વર્ષ જૂના એક કેસમાં 1 વર્ષની જેલની સજા ને દંડ ફટકાર્યો છે. ઘટના વર્ષ 2014 લોકસભાની ચૂંટણી વખતની છે અને મંત્રીને આ ઘટનામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. યોગી અને મંત્રી બંને માટે આ એક મોટો ઝટકો છે. ભાજપના  નેતાઓએ બાબતે મૌન સાધી લીધું છે.

યોગી સરકારમાં મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને MP MLA કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા એક મામલામાં મંત્રી દોષી સાબિત ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. તેમની પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નંદીને IPCની કલમ 147 અને 323 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

યોગી સરકારના  મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને જેલની સજા સંભળાવવા પાછળનું કારણ  એવું છે કે,2014ની લોકસભા ચૂંટણી દરમિયાન, નંદી પર તત્કાલિન સપા સાંસદ રેવતી રમણ સિંહની જાહેર સભામાં તેમના સમર્થકો દ્વારા હુમલો કરવાનો આરોપ હતો. સપા સમર્થકો માટે જાતિવિષયક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ હતો કે રેલી દરમિયાન સપાના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં ઘણા ઘાયલ થયા હતા. નંદી તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને સમાજવાદી પાર્ટીએ એ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ જ કેસમાં નંદીને 9 વર્ષ બાદ દોષી ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની જેલની સજા અને 10,000નો દંડ કરવાનો હુકમ કર્યો છે. આ ઘટનામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર વેંકટરમણ શૂક્લાએ નંદી સામે ફરિયાદ કરી હતી.

તમારા માટે એ જાણવું જરૂરી છે કે કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપવા છતા નંદીનું વિધાનસભાનું સભ્યપદ રદ નહીં થાય. કોઇ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધારે સમય સુધી જેલની સજા થઇ હોય તો જ વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવે છે.

પરંતુ અહીં MP MLA એ કોર્ટે એક વર્ષની સજા જાહેર કરી હોવાથી આ વિભાગમાં નંદીને થોડી રાહત મળી છે. કોર્ટના આ આદેશ પર હજુ સુધી નંદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપે પણ આ મામલે મૌન સેવ્યું છે.<

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.