મિર્ઝાપુરમાં ભાજપા નેતા અધ્યક્ષ પર ગેંગરેપનો આરોપ, પાર્ટીમાંથી સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સગીરા સાથે ગેંગરેપના આરોપી લાલગંજ ભાજપા મંડળ અધ્યક્ષ વિજય કુમાર ગુપ્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સગીરાનો આરોપ છે કે તેની સાથે પાછલા સાત મહિનાથી આરોપી વિજય ગુપ્તા અને આકાશ કેશરવાની ગેંગરેપ કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસે સગીરાની માતાની ફરિયાદ પર FIR દાખલ કરી છે. આરોપી આકાશ કેશરવાનીની ધરપકડ કરી તેને જેલભેગો કરી દેવામાં આવ્યો છે. તો વિજય ગુપ્તાને ભાજપાએ બધા પદેથી સસ્પેન્ડ કરી દીધો છે.

સગીરા ધોરણ 10માં ભણે છે. તેણે આરોપ લગાવતા કહ્યું કે, તેની મુલાકાત સૌથી પહેલા આકાશ કેશરવાની સાથે થઇ હતી. ત્યાર પછી આકાશ તેને એક રેસ્ટોરેન્ટમાં લઈ ગયો. જ્યાં ગ્રામ પ્રધાન અને ભાજપા નેતા વિજય ગુપ્તાએ આકાશ સાથે મળીને તેની સાથે ગેંગરેપ કર્યો સાથે જ આ વાતની જાણ કોઈને ન કરવાની ધમકી પણ આપી.

સગીરાએ કહ્યું, 7 મહિના સુધી બંને આરોપી તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા. ગર્ભ રહેવાની જાણકારી મળતા ભાજપા નેતા અને આકાશે સગીરાને ગર્ભપાતની દવા ખવડાવી. જેને લીધે તેની તબિયત બગડી ગઈ.

ત્યાર પછી પરિવારના સભ્યો જ્યારે સર્વાઈવરને લઇ હોસ્પિટલ પહોંચ્યા તો પ્રેગનેન્સીનો ખુલાસો થયો. ત્યાર પછી ડૉક્ટરે તેનો ગર્ભપાત કરાવ્યો.

આ ધારાઓ સાથે કેસ દાખલ

પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ધારા 376DA(16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી સાથે ગેંગરેપ), 313(મહિલાની સંમંતિ વિના ગર્ભપાત), 342(ખોટી રીતે કેદમાં રાખવી), 506(ધમકી આપવી), 5/6 પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરી એક આરોપી આકાશ કેશરવાનીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ત્યાર પછી ભાજપા જિલ્લાધ્યક્ષ વિશ્વકર્માએ લાલગંજ મંડળ અધ્યક્ષ વિજય ગુપ્તાને દરેક પદેથી સસ્પેન્ડ કરી દીધો છે.

પીડિતા અને તેની માતાએ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોલીસ અધિકારી સંતોષ મિશ્રાએ કહ્યું કે સગીરાની તબિયત હવે સારી છે. આરોપી આકાશની ધરપકડ કરી લેવામાં આવી છે. આકાશે તેના ગુનાનો સ્વીકાર કર્યો છે. વિજય ગુપ્તા પર લગાવેલા આરોપોની તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.