‘હાથ અને મન બંને ખૂબ ભારે છે..’, મહિલા DMની ભાવુક પોસ્ટ વાયરલ, જનતામાં લોકપ્રિય

મિર્ઝાપુરના ફેમસ DM દિવ્યા મિત્તલનું ટ્રાન્સફર થઈ ગયું છે. વર્ષ 2013 બેન્ચના IAS અધિકારી દિવ્યા મિત્તલને બસ્તી જિલ્લાના DM બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યા પર બસ્તીના DM પ્રિયંકા નિરંજનને મિર્ઝાપુરના જિલ્લાધિકારી બનાવવામાં આવ્યા છે. મિર્ઝાપુરથી ટ્રાન્સફર થયા બાદ IAS દિવ્યા મિત્તલે X (પહેલા ટ્વીટર) પર ભાવુક પોસ્ટ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

દિવ્યા મિત્તલે મિર્ઝાપુરના DM રહેતા પોતાના કામને લઈને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. હાલમાં જ તેઓ લહુદરિયાહ જેવા પર્વતીય ગામ સુધી પાણી પહોંચાડવાની યોજના પૂરી કરીને ચર્ચામાં આવ્યા હતા, મિર્ઝાપુરથી ટ્રાન્સફર બાદ દિવ્યા મિત્તલે લખ્યું કે, સામાન બાંધતા હાથ અને મન બંને ભારે છે. સરકારી નોકરીમાં આવવા જવાનું ચાલતું રહે છે, પરંતુ મિર્ઝાપુરે જેટલો પ્રેમ આપ્યો છે તે આજીવન નહીં ભૂલી શકું. તેમણે પોતાની પોસ્ટમાં માતાના મંદિર અને ગંગાના સાંનિધ્યને પણ યાદ કર્યા.

તેમણે આગળ કહ્યું કે, ટ્રાન્સફરના સમાચાર બાદ તેમની પાસે એટલા ફોન કોલ આવ્યા કે નેટવર્ક જામ થઈ ગયું. મૂળ હરિયાણાના રેવાડીના રહેવાસી દિવ્યા મિત્તલે IIT દિલ્હીથી બીટેક અને IIM બેંગ્લોરથી MBA કર્યું છે. ત્યારબાદ તેમણે લંડનમાં એક કોર્પોરેટ કંપની જોઇન્ટ કરી, પરંતુ તેમનું અને તેમના પિતા ગગનદીપ સિંહ બંને લોકોનું મન કોર્પોરેટ જોબમાં ન લાગ્યું અને નોકરી છોડીને પાછા આવી ગયા. આ જોડીએ અહીં આવીને UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી.

પહેલા વર્ષ 2011માં ગગનદીપ સિંહ IAS બન્યા અને પછી વર્ષ 2012માં દિવ્યા મિત્તલ UPSC ક્લિયર કરીને IPS બન્યા. જો કે, ટ્રેનિંગ ચાલી જ રહી હતી કે, વર્ષ 2013માં તેઓ IAS બની ગયા. IAS દિવ્યા મિત્તલની ઓળખ સખત મિજાજના DMની છે. લોકોની ફરિયાદો પર તેઓ અધિકારીઓને સીધા સવાલ કરવા માટે જાણીતા છે. તેમનો આ અંદાજ લોકોને પસંદ આવે છે અને લોકો તેમને કનેક્ટ કરે છે. જો કે, તેમનો આ અંદાજ મહિલાઓ અને બાળકો વચ્ચે એકદમ બદલાઈ જાય છે. તેઓ તેમની વચ્ચે એક કોમળ વ્યક્તિના રૂપના નજરે પડે છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.