‘હાથ અને મન બંને ખૂબ ભારે છે..’, મહિલા DMની ભાવુક પોસ્ટ વાયરલ, જનતામાં લોકપ્રિય

મિર્ઝાપુરના ફેમસ DM દિવ્યા મિત્તલનું ટ્રાન્સફર થઈ ગયું છે. વર્ષ 2013 બેન્ચના IAS અધિકારી દિવ્યા મિત્તલને બસ્તી જિલ્લાના DM બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યા પર બસ્તીના DM પ્રિયંકા નિરંજનને મિર્ઝાપુરના જિલ્લાધિકારી બનાવવામાં આવ્યા છે. મિર્ઝાપુરથી ટ્રાન્સફર થયા બાદ IAS દિવ્યા મિત્તલે X (પહેલા ટ્વીટર) પર ભાવુક પોસ્ટ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

દિવ્યા મિત્તલે મિર્ઝાપુરના DM રહેતા પોતાના કામને લઈને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. હાલમાં જ તેઓ લહુદરિયાહ જેવા પર્વતીય ગામ સુધી પાણી પહોંચાડવાની યોજના પૂરી કરીને ચર્ચામાં આવ્યા હતા, મિર્ઝાપુરથી ટ્રાન્સફર બાદ દિવ્યા મિત્તલે લખ્યું કે, સામાન બાંધતા હાથ અને મન બંને ભારે છે. સરકારી નોકરીમાં આવવા જવાનું ચાલતું રહે છે, પરંતુ મિર્ઝાપુરે જેટલો પ્રેમ આપ્યો છે તે આજીવન નહીં ભૂલી શકું. તેમણે પોતાની પોસ્ટમાં માતાના મંદિર અને ગંગાના સાંનિધ્યને પણ યાદ કર્યા.

તેમણે આગળ કહ્યું કે, ટ્રાન્સફરના સમાચાર બાદ તેમની પાસે એટલા ફોન કોલ આવ્યા કે નેટવર્ક જામ થઈ ગયું. મૂળ હરિયાણાના રેવાડીના રહેવાસી દિવ્યા મિત્તલે IIT દિલ્હીથી બીટેક અને IIM બેંગ્લોરથી MBA કર્યું છે. ત્યારબાદ તેમણે લંડનમાં એક કોર્પોરેટ કંપની જોઇન્ટ કરી, પરંતુ તેમનું અને તેમના પિતા ગગનદીપ સિંહ બંને લોકોનું મન કોર્પોરેટ જોબમાં ન લાગ્યું અને નોકરી છોડીને પાછા આવી ગયા. આ જોડીએ અહીં આવીને UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી.

પહેલા વર્ષ 2011માં ગગનદીપ સિંહ IAS બન્યા અને પછી વર્ષ 2012માં દિવ્યા મિત્તલ UPSC ક્લિયર કરીને IPS બન્યા. જો કે, ટ્રેનિંગ ચાલી જ રહી હતી કે, વર્ષ 2013માં તેઓ IAS બની ગયા. IAS દિવ્યા મિત્તલની ઓળખ સખત મિજાજના DMની છે. લોકોની ફરિયાદો પર તેઓ અધિકારીઓને સીધા સવાલ કરવા માટે જાણીતા છે. તેમનો આ અંદાજ લોકોને પસંદ આવે છે અને લોકો તેમને કનેક્ટ કરે છે. જો કે, તેમનો આ અંદાજ મહિલાઓ અને બાળકો વચ્ચે એકદમ બદલાઈ જાય છે. તેઓ તેમની વચ્ચે એક કોમળ વ્યક્તિના રૂપના નજરે પડે છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.