કર્ણાટક હાર બાદ RSSની BJPને સલાહ,કહ્યુ-મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ પૂરતું નથી

કર્ણાટકમાં શરમજનક હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે BJPને 'આત્મચિંતન' કરવાની સલાહ આપી છે. સંઘે પોતાના મુખ્ય પત્ર ઓર્ગેનાઈઝરમાં કહ્યું છે કે, દરેક જગ્યાએ જીત માટે માત્ર PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પૂરતું નથી. RSSએ BJPના મિશન 2024ને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી છે. RSSએ આ સમયગાળા દરમિયાન પાર્ટીને સ્પષ્ટ કરી દીધું છે કે, મજબૂત જન આધાર અને પ્રાદેશિક નેતૃત્વ વિના ચૂંટણી જીતવી સરળ નથી.

વાસ્તવમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન BJPએ સ્ટાર પ્રચારકો ખાસ કરીને PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પર ભાર મૂક્યો હતો. કર્ણાટકની ચૂંટણીમાં આવા ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જેનો સીધો સંબંધ હિન્દુત્વ સાથે હતો. BJP આ મુદ્દાઓને આધારે એકતરફી જીત નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, જનતાએ પક્ષને ઊંધો પાડી દીધો અને કોંગ્રેસને વિજયનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ માટે નહીં પણ BJP માટે આ ચોક્કસપણે મોટો ફટકો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેના લેખમાં લખ્યું છે કે, PM નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વના વિચારો તમામ જગ્યાએ ચૂંટણી જીતવા માટે પૂરતા નથી. આ લેખમાં લખવામાં આવ્યું છે કે, વિચારધારા અને કેન્દ્રીય નેતૃત્વ હંમેશા BJP માટે સકારાત્મક પાસાં હોઈ શકે છે, પરંતુ જનતાના મનને પણ પાર્ટીએ સમજવી પડશે. સંઘે લખ્યું કે, BJPએ કર્ણાટક ચૂંટણીમાં કેન્દ્રના મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ છોડ્યા નથી અને આ જ તેમની જીતનું કારણ છે.

સંઘે BJPની એ રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે, જેમાં પાર્ટીએ જાતિના મુદ્દાઓ દ્વારા વોટ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સંઘે કહ્યું છે કે, પાર્ટીએ આ પ્રયાસ એવા રાજ્યમાં કર્યો છે જે ટેક્નોલોજીનું હબ છે. સંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી PM મોદી સરકાર કેન્દ્રમાં આવી છે, એટલે કે 2014 પછી પહેલીવાર BJP કોઈપણ રાજ્યની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાનો બચાવ કરતી જોવા મળી છે. એટલું જ નહીં, આવું પણ પહેલીવાર બન્યું છે, જ્યારે સંઘે BJPને ચૂંટણીને લઈને સલાહ આપી હોય. વાસ્તવમાં સંઘના મુખ્ય પેપરના સંપાદક પ્રફુલ્લ કેતકરે 23 મેના તંત્રીલેખમાં આ વાતો લખી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.