કર્ણાટક હાર બાદ RSSની BJPને સલાહ,કહ્યુ-મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ પૂરતું નથી

કર્ણાટકમાં શરમજનક હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે BJPને 'આત્મચિંતન' કરવાની સલાહ આપી છે. સંઘે પોતાના મુખ્ય પત્ર ઓર્ગેનાઈઝરમાં કહ્યું છે કે, દરેક જગ્યાએ જીત માટે માત્ર PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પૂરતું નથી. RSSએ BJPના મિશન 2024ને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી છે. RSSએ આ સમયગાળા દરમિયાન પાર્ટીને સ્પષ્ટ કરી દીધું છે કે, મજબૂત જન આધાર અને પ્રાદેશિક નેતૃત્વ વિના ચૂંટણી જીતવી સરળ નથી.

વાસ્તવમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન BJPએ સ્ટાર પ્રચારકો ખાસ કરીને PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પર ભાર મૂક્યો હતો. કર્ણાટકની ચૂંટણીમાં આવા ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જેનો સીધો સંબંધ હિન્દુત્વ સાથે હતો. BJP આ મુદ્દાઓને આધારે એકતરફી જીત નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, જનતાએ પક્ષને ઊંધો પાડી દીધો અને કોંગ્રેસને વિજયનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ માટે નહીં પણ BJP માટે આ ચોક્કસપણે મોટો ફટકો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેના લેખમાં લખ્યું છે કે, PM નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વના વિચારો તમામ જગ્યાએ ચૂંટણી જીતવા માટે પૂરતા નથી. આ લેખમાં લખવામાં આવ્યું છે કે, વિચારધારા અને કેન્દ્રીય નેતૃત્વ હંમેશા BJP માટે સકારાત્મક પાસાં હોઈ શકે છે, પરંતુ જનતાના મનને પણ પાર્ટીએ સમજવી પડશે. સંઘે લખ્યું કે, BJPએ કર્ણાટક ચૂંટણીમાં કેન્દ્રના મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ છોડ્યા નથી અને આ જ તેમની જીતનું કારણ છે.

સંઘે BJPની એ રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે, જેમાં પાર્ટીએ જાતિના મુદ્દાઓ દ્વારા વોટ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સંઘે કહ્યું છે કે, પાર્ટીએ આ પ્રયાસ એવા રાજ્યમાં કર્યો છે જે ટેક્નોલોજીનું હબ છે. સંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી PM મોદી સરકાર કેન્દ્રમાં આવી છે, એટલે કે 2014 પછી પહેલીવાર BJP કોઈપણ રાજ્યની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાનો બચાવ કરતી જોવા મળી છે. એટલું જ નહીં, આવું પણ પહેલીવાર બન્યું છે, જ્યારે સંઘે BJPને ચૂંટણીને લઈને સલાહ આપી હોય. વાસ્તવમાં સંઘના મુખ્ય પેપરના સંપાદક પ્રફુલ્લ કેતકરે 23 મેના તંત્રીલેખમાં આ વાતો લખી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.