જવાનોની શહીદીનો મોદી સરકાર બદલો લે, બિલાવલને ભારતમાં ન આવવા દે: શિવસેના

જમ્મૂ-કાશ્મીરમાં 20 એપ્રિલે ભારતીય સૈનિકો પર આતંકી હુમલો થયો હતો. જેને લીધા જમ્મૂ-કાશ્મીરના શિવસેના એકમે પાકિસ્તાનનો ધ્વજ અને PAFFના પુતળાં દહન કર્યા હતા અને મોદી સરકાર સામે માગ કરી છે કે જવાનોની શહીદીનો બદલો લેવામા આવે અને પાકિસ્તાનના નેતા બિલાવલને ભારતની ભૂમિ પર મુકવા દેવામાં ન આવે. આતંકવાદીઓના હુમલામાં સેનાના જવાનો શહીદ થવાને કારણે બધા દેશવાસીઓમાં રોષ છે.

જમ્મૂ-કાશ્મીમાં LOCને અડીને આવેલા પુંછ જિલ્લાના ભિમ્બર ગલી વિસ્તારમાં ગુરુવાર 20 એપ્રિલે એક સૈન્ય વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 5 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. આ હુમલાને લઇને શિવસેના ( ઉદ્ધવ ઠાકરે ગ્રુપ) ભડકી છે. જવાનો પરના આ હુમલાનો શિવસેનાની જમ્મૂ-કાશ્મીર યુનિટે જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ધ્વજ અને હુમલાની જવાબદારી લેનાર જૈશે-એ મોહમંદના PAFFના પુતળાં ફુંક્યા હતા.

 શિવસેના પાર્ટી પ્રદેશ પ્રમુખ મનીષ સાહનીના નેજા હેઠળ જમ્મૂના રૂપનગરમાં આવેલા પાર્ટીના કાર્યાલય પાસે શિવ સૈનિકો ભેગા થયા હતા. તેમણે ભારતીય જવાનોની શહીદીની વકાલત કરીને પાકિસ્તાનન અને PAFF સામે નારા લગાવ્યા હતા. સાહનીએ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથેના સીધા યુદ્ધમાં 3 વત હારી ચૂક્યું છે.

સાહનીએ કહ્યુ કે ભારત સામે ષડયંત્ર રચીને અને આતંકવાદને પ્રોત્સાહ આપીને પાકિસ્તાન કંગાળ છઇ ચૂક્યું છે. ખાવાની ચીજોના ભાવો પાકિસ્તાનમાં આસમાને છે. કંગાળ થઇ ગયેલું પાકિસ્તાન આંતરારાષ્ટ્રીય સ્તરે પણ નાદાર થવાની સ્થિતિમાં આવી ગયું છે. તેમણે આગળ કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા પાકિસ્તાન કરગરી રહ્યું છે. પરંતુ આમ છતા કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓ અંજામને લઇને પાકિસ્તાન સુધરતું નથી.

સહાનીએ કહ્યું કે પાકિસ્તાનની નાપાક હરકતોનો હવે ઘડો ભરાઇ ગયો છે અને હવે સમય આવી ગયો છે કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન પર જોરદાર સૈન્ય કાર્યવાહી કરીને તેને પાઠ ભણાવે. સહાનીએ કહ્યું કે ભારતીય જવાનોના હત્યારા દેશથી આવતા બિલાવલ ભુટ્ટોને ભારતની ભૂમિ પર પગ મુકવાની મંજૂરી આપવામાં ન આવે.

આ પ્રસંગે મહિલા પાંખના પ્રમુખ મીનાક્ષી છિબ્બર, મહામંત્રી વિકાસ બક્ષી, કામદાર વિંગના પ્રમુખ રાજ સિંહ, શશી પાલ, ટીટુ સહગલ, મમતા, બિટ્ટુ ભટ, પ્રેમ, સરોજ, બંટી, રીતુ, શુશીલા, ભગવતી, રવિ, હરિન્દર, રમેશ વગેરે હાજર રહ્યા હતા. અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.