અદાણી મામલે મોદી સરકારે કહ્યું- સરકારને આ મામલામાં કોઇ લેવા-દેવા નથી

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના અદાણી ગ્રુપના રિપોર્ટ પછી કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા છે. અદાણી વિવાદને લઇને છેલ્લાં બે દિવસથી વિપક્ષ સંસદમાં કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ વિવાદ પર મોદી સરકારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સંસદીય કામકાજના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને આ મામલામાં કોઇ લેવા દેવા નથી.

અદાણી પરના હિંડનબર્ગના રિપોર્ટને કારણે વિરોધ પક્ષનો સરકાર પર હુમલો કરવાનો મોટો મોકો મળી ગયો છે અને બજેટ સત્રની કામગીરીમાં વિપક્ષના વિરોધને કારણે સંસદની કામગીરી ઠપ્પ થઇ રહી હતી. શુક્રવારે પણ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોએ ભારે હંગોમા મચાવીને બંને ગૃહ ચાલવા દીધા નહોતા. વિરોધ પક્ષોએ એટલો જોરદાર હોબાળો મચાવ્યે કે સસંદને સોમવાર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો.

ભાજપના પાર્લામેન્ટરી અફેર્સના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અદાણી વિવાદ મામલે કેન્દ્ર સરકારને કોઇ લેવા-દેવા નથી. વિરોધ પક્ષો આ મુદ્દો એટલા માટે ઉંચકી રહ્યા છે, કારણકે તેમની પાસે બીજો કોઇ મુદ્દો છે જ નહીં.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધીને ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે દોસ્તી હોવાનું કહેતા રહ્યા છે. સાથે રાહુલ ગાંધી એવો પણ આરોપ લગાવતા રહ્યા છે કે મોદી સરકાર તેમના ખાસ મિત્રોને જ લાભ પહોંચાડી રહી છે.

હવે જ્યારે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપનો એક રિપોર્ટ જાહેર કર્યો અને તેને કારણે વિરોધ પક્ષને સરકાર સામે દાવ લેવોનો મોટો મોકો મળી ગયો. એટલે છેલ્લાં બે દિવસથી સસંદના બંને ગૃહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યું છે.

શુક્રવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ એક વાતની સ્પષ્ટતા કરી હતી કે અદાણી ગ્રુપમાં SBI અને LICનું જે એક્સપોઝર છે તે નિયત મર્યાદામાં જ આપવામાં આવ્યું છે અને અદાણીના શેરો તુટવા છતા સરકારનું રોકાણ તો નફામાં છે.

હિંડનબર્ગના રિપોર્ટના ભારતમાં તો પડઘા પડ્યા જ છે, પરંતુ દુનિયાભરમાં પણ ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાને છોડવા માંગતી નથી અને કોંગ્રેસ પ્રમુખે શુક્રવારે એવી જાહેરાત કરી કે દેશભરના દરેક જિલ્લામાં SBI અને LIC ઓફીસની બહાર કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.