મોરારી બાપુ બોલ્યા- ‘ઈન્ડિયા પ્રાચીન શબ્દ પણ..’,આદિપુરુષ વિવાદ પર પણ કરી ટિપ્પણી

On

ધર્મ ગુરુ મોરારી બાપુએ શનિવારે એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઈને ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે મોક્ષ, રામકથા, સોશિયલ મીડિયાવાળા ગુરુ સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણા બધા તીર્થ મોક્ષ પ્રદાન કરનારા છે, પરંતુ મારી દૃષ્ટિમાં ઈર્ષા, દ્વેષ અને નિંદાથી મુક્ત થવું જ મોક્ષ છે. સાથે જ કહ્યું કે હું પોતાના માટે મોક્ષ માગતો નથી. હું વારંવાર જન્મ લેવા માગું છું.

રામકથા ભક્તિ દાયિકા, મુક્તિદાયિકા અને શક્તિદાયિકા છે. હું પોતાના શ્રોતાઓને કહું છું કે તેઓ જે પણ ઈચ્છે રામકથામાંથી લઈ શકે છે. મોરારી બાપુને પૂછવામાં આવ્યું કે રામકથા શું છે? તો તેમણે કહ્યું કે, રામને સાધન ન બનાવવા જોઈએ, રામ સાધ્ય હોવા જોઈએ, પરંતુ હવે તેમને સાધન બનાવી લેવામાં આવ્યા છે. રામ શું છે એ વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસ બતાવી શકે છે. આપણે પોતાની કલ્પનાઓથી શ્રીરામ અને હનુમાન બાબતે બતાવીએ તે કોઈના હિતમાં નથી.

મોરારી બાપુએ સોશિયલ મીડિયાવાળા ગુરુઓને લઈને કહ્યું કે, તેનો જવાબ એ જ લોકો સારી રીતે આપી શકે છે કે તેઓ પોતાને શું કહે છે. હું કોઈ ગુરુ નથી, હું માત્ર મોરારી બાપુ છું.હું ભવિષ્યવક્તા નથી, ન તો કોઈના મનની કોઈ વાત જાણું છું. મારા કોઈ ફોલોઅર્સ નથી. મારા માત્ર ફ્લાવર છે. એ મારી વ્યાસ વાટિકાના બધા પુષ્પ છે. શું અધ્યાત્મ વર્તમાનમાં એક ઉદ્યોગ બની ગયો છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે તેને ધંધો સમજે છે તે ગુનો છે. ભય અને લાલચ જ લોકોને ખોટી દિશામાં લઈ જાય છે, પરંતુ અધ્યાત્મ ઉદ્યોગ નથી.

મોરારી બાપુને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે શું મોદી સરકારમાં દેશ પરત પોતાની સંસ્કૃતિ તરફ આવ્યો છે? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, કેટલુંક સારું તો થઈ રહ્યું છે. વિકાસ એવો હોવો જોઈએ જે આખા સમાજને વિશ્રામ તરફ લઈ જાય. વિપક્ષી પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું છે. તેના પર તેમણે કહ્યું કે, INDIA પ્રાચીન શબ્દ છે, પરંતુ મારા મનમાં તો મારું ભારતવર્ષ છે. રાજનીતિ માટે કોઈ ગમે તે નામ રાખી લે, તેના પર મારે વધારે વાત કરવી નથી.

હાલમાં જ આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ પર ખૂબ આપત્તિ થઈ. શું તમે પણ તેનાથી દુઃખી છો? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, દુઃખી તો નથી થયો, પરંતુ તેના પર દયા આવે છે કેમ કે રામકથા સંવાદની કથા છે. તેમાં વિવાદ થાય એવા સંવાદ કેમ નાખવામાં આવે. રામાનંદ સાગરે રામાયણ બનાવી તો તેમણે ખૂબ સમજદારીથી તેનું ચિત્રણ કર્યું. વિવાદ ઉત્પન્ન કરનારા સંવાદ ઉપયોગ ન કરવા જોઈએ.

સનાતન ધર્મમાં થનારા પ્રયોગના સવાલ પર તેમણે કહ્યું કે, આ ધર્મ એટલો ઉદાર છે કે ક્ષમા કરતો જઈ રહ્યો છે. બધા જાણે છે કે કોઈ બીજા ધર્મ માટે કહેવામાં આવે તો શું હાલત થાય છે. સનાતન વૈદિક પરંપરા છે. ધર્મ વહેતી ગંગા છે. સંપ્રદાય તેમાંથી નીકળે છે.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.