મોરારી બાપુ બોલ્યા- ‘ઈન્ડિયા પ્રાચીન શબ્દ પણ..’,આદિપુરુષ વિવાદ પર પણ કરી ટિપ્પણી

On

ધર્મ ગુરુ મોરારી બાપુએ શનિવારે એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઈને ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે મોક્ષ, રામકથા, સોશિયલ મીડિયાવાળા ગુરુ સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણા બધા તીર્થ મોક્ષ પ્રદાન કરનારા છે, પરંતુ મારી દૃષ્ટિમાં ઈર્ષા, દ્વેષ અને નિંદાથી મુક્ત થવું જ મોક્ષ છે. સાથે જ કહ્યું કે હું પોતાના માટે મોક્ષ માગતો નથી. હું વારંવાર જન્મ લેવા માગું છું.

રામકથા ભક્તિ દાયિકા, મુક્તિદાયિકા અને શક્તિદાયિકા છે. હું પોતાના શ્રોતાઓને કહું છું કે તેઓ જે પણ ઈચ્છે રામકથામાંથી લઈ શકે છે. મોરારી બાપુને પૂછવામાં આવ્યું કે રામકથા શું છે? તો તેમણે કહ્યું કે, રામને સાધન ન બનાવવા જોઈએ, રામ સાધ્ય હોવા જોઈએ, પરંતુ હવે તેમને સાધન બનાવી લેવામાં આવ્યા છે. રામ શું છે એ વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસ બતાવી શકે છે. આપણે પોતાની કલ્પનાઓથી શ્રીરામ અને હનુમાન બાબતે બતાવીએ તે કોઈના હિતમાં નથી.

મોરારી બાપુએ સોશિયલ મીડિયાવાળા ગુરુઓને લઈને કહ્યું કે, તેનો જવાબ એ જ લોકો સારી રીતે આપી શકે છે કે તેઓ પોતાને શું કહે છે. હું કોઈ ગુરુ નથી, હું માત્ર મોરારી બાપુ છું.હું ભવિષ્યવક્તા નથી, ન તો કોઈના મનની કોઈ વાત જાણું છું. મારા કોઈ ફોલોઅર્સ નથી. મારા માત્ર ફ્લાવર છે. એ મારી વ્યાસ વાટિકાના બધા પુષ્પ છે. શું અધ્યાત્મ વર્તમાનમાં એક ઉદ્યોગ બની ગયો છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે તેને ધંધો સમજે છે તે ગુનો છે. ભય અને લાલચ જ લોકોને ખોટી દિશામાં લઈ જાય છે, પરંતુ અધ્યાત્મ ઉદ્યોગ નથી.

મોરારી બાપુને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે શું મોદી સરકારમાં દેશ પરત પોતાની સંસ્કૃતિ તરફ આવ્યો છે? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, કેટલુંક સારું તો થઈ રહ્યું છે. વિકાસ એવો હોવો જોઈએ જે આખા સમાજને વિશ્રામ તરફ લઈ જાય. વિપક્ષી પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું છે. તેના પર તેમણે કહ્યું કે, INDIA પ્રાચીન શબ્દ છે, પરંતુ મારા મનમાં તો મારું ભારતવર્ષ છે. રાજનીતિ માટે કોઈ ગમે તે નામ રાખી લે, તેના પર મારે વધારે વાત કરવી નથી.

હાલમાં જ આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ પર ખૂબ આપત્તિ થઈ. શું તમે પણ તેનાથી દુઃખી છો? તેના જવાબમાં મોરારી બાપુએ કહ્યું કે, દુઃખી તો નથી થયો, પરંતુ તેના પર દયા આવે છે કેમ કે રામકથા સંવાદની કથા છે. તેમાં વિવાદ થાય એવા સંવાદ કેમ નાખવામાં આવે. રામાનંદ સાગરે રામાયણ બનાવી તો તેમણે ખૂબ સમજદારીથી તેનું ચિત્રણ કર્યું. વિવાદ ઉત્પન્ન કરનારા સંવાદ ઉપયોગ ન કરવા જોઈએ.

સનાતન ધર્મમાં થનારા પ્રયોગના સવાલ પર તેમણે કહ્યું કે, આ ધર્મ એટલો ઉદાર છે કે ક્ષમા કરતો જઈ રહ્યો છે. બધા જાણે છે કે કોઈ બીજા ધર્મ માટે કહેવામાં આવે તો શું હાલત થાય છે. સનાતન વૈદિક પરંપરા છે. ધર્મ વહેતી ગંગા છે. સંપ્રદાય તેમાંથી નીકળે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.