હરદોઈમાં 13 હજારથી વધુ મૃતકો લઈ રહ્યા હતા પેન્શન, આ રીતે ખુલી પોલ

સમાજ કલ્યાણ વિભાગને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં વૃદ્ધાવસ્થા પેન્શનને લગતા વેરિફિકેશનના કામમાં મોટી વિસંગતતા જોવા મળી છે. વેરિફિકેશન દરમિયાન જાણવા મળ્યું કે, 13 હજારથી વધુ લોકો જેઓ આ દુનિયામાં હયાત નથી તેમને પણ પેન્શનનો લાભ મળી રહ્યો છે. એટલે કે તે મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ પેન્શનના પૈસા તેમના ખાતામાં જઈ રહ્યા છે.

આ સાથે 45 હજારથી વધુ એવા લાભાર્થીઓ મળી આવ્યા જેઓ પોતે આપેલા સરનામે રહેતા નથી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, આવા લોકોનું પેન્શન બ્લોક કરી દેવામાં આવ્યું છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ તેમને પેન્શન આપવામાં આવશે. વિભાગે આ તમામ પેન્શન ધારકોને તેમના આધાર કાર્ડને પ્રમાણિત કરવા જણાવ્યું છે. જ્યારે, મૃત પેન્શન ધારકોના કિસ્સામાં, સમાજ કલ્યાણ વિભાગ તેમના મૃત્યુની માહિતી એકત્રિત કરી રહ્યું છે.

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ સરકારના સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશો પર, હરદોઈ જિલ્લામાં વૃદ્ધાવસ્થા પેન્શનને લઈને વેરિફિકેશનનું કામ થઈ રહ્યું છે. ચકાસણી દરમિયાન પેન્શન ધારકોનું આધાર પ્રમાણીકરણ કરવામાં આવે છે. સરકારની સૂચના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે સમાજ કલ્યાણ વિભાગને તમામ વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો.

સમાજ કલ્યાણ અધિકારી રાજમતીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 1 લાખ 42 હજાર 495 વૃદ્ધ પેન્શન ધારકો છે. જેમાંથી અત્યાર સુધીમાં 97 હજાર 398 લોકો સંપૂર્ણ રીતે પાત્ર જણાયા છે. જ્યારે 45 હજાર 470 પેન્શન ધારકો તેમના સંબંધિત સરનામાં પર મળી શક્યા નથી. સમાજ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર, 13 હજાર 803 પેન્શનરો મૃત્યુ પામ્યા હોવાની માહિતી પણ મળી છે.

તેમણે કહ્યું કે, 45 હજાર 470 પેન્શન ધારકોનું પેન્શન અટકાવી દેવામાં આવ્યું છે અને તમામને આધાર પ્રમાણિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે, તેમાં જે 13 હજાર 803 મૃત પેન્શન ધારકો મળી આવ્યા છે, તેમના વિશે વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તેમાંથી કેટલા લોકોની મૃત્યુ ક્યારે થયું અને તેઓના મૃત્યુ પામ્યા પછી તેમને કેટલા દિવસ સુધી વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ મળ્યો. સમાજ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર, જો આવું થયું હશે તો, મૃતક પેન્શન ધારકોના ખાતામાંથી પેન્શન પાછું લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સમાજ કલ્યાણ વિભાગે વૃદ્ધાવસ્થા પેન્શનને લગતી ચકાસણીની કામગીરી 97 ટકા પૂર્ણ કરી લીધી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.