કરૌલી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા 17 શ્રદ્ધાળુ ચંબલ નદીમાં તણાયા

મધ્ય પ્રદેશના મૂરેના જિલ્લામાં ચંબલ નદી પાર કરતી વખત 17 શ્રદ્ધાળુ નદીમાં તણાઇ ગયા. જો કે, તેમાંથી 8 લોકો તો તરીને રાજસ્થાન તરફ બહાર નીકળી ગયા, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા. ઘટના બાદ મરજીવાઓએ 3 લોકોના શબને પાણીમાંથી બહાર કાઢી લીધા છે. તો હજુ પણ 4 લોકોના શબ મળ્યા નથી. ઘટના ટેન્ટરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સ્થિત રાયડી રાધેન ઘાટની છે. ચંબલ નદીમાં ડૂબનારા બધા શ્રદ્ધાળુ શિવપુરી જિલ્લાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, શિવપુરી જિલ્લાના સિલાયચૌન ગામના રહેવાસી કુશવાહ સમાજના 17 લોકો પગપાળા કરૌલી માતાના મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓમાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ હતી. આજે સવારે શ્રદ્ધાળુ મૂરેના જિલ્લાના ટેન્ટરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સ્થિત રાયડી-રાધેન ઘાટ પર ચંબલ નદી પાર કરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના તેજ વહેણમાં બધા લોકો તણાવા લાગ્યા. તેમાંથી 10 લોકો તો તરીને બંને ઘાંટો પર પહોંચી ગયા, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક તેની જાણકારી પોલીસને આપી. જાણકારી મળતા જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ મરજીવાઓની ટીમ બોલાવીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. લગભગ 2 કલાકની જહેમત બાદ મરજીવાઓએ એક મહિલા સહિત 3 લોકોના શબ પાણીથી બહાર કાઢી લીધા છે. નદીમાં ડૂબનારાઓમાં મહિલા-પુરુષ શ્રદ્ધાળુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનના મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

ઘટનાની જાણકારી મળતા જ કરૌલી જિલ્લા કલેક્ટર અંકિત કુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. લોકોનું કહેવું છે કે, ડાંગ વિસ્તાર દૂરનો વિસ્તાર છે, આ કારણે મુસાફરોને સમય પર બચાવવામાં પરેશાની થઈ છે. ચંબલ નદીમાં ડૂબી ગયેલા મુસાફરોને લઈને સ્થાનિક સપોટરા ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ પંચાયત રાજ મંત્રી રમેશ મીણાએ અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રત્યક્ષદર્શી દીપકે કહ્યું કે, અમે બધા 17 લોકો પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં નદીમાં વહી ગયા. 7 લોકો અત્યારે પણ ગાયબ છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.