અકસ્માતમાં મોત થતા માતાને કાંધ દેવા આવતા પુત્રનું પણ રસ્તામાં મોત, બંનેની અરથી..

મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં રૂવાડા ઊભા કરી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં એક જ ઘરથી માતા અને દીકરાની અર્થી એક સાથે ઉઠતી જોઈને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. આ આખી ઘટના રીવા જિલ્લાના ડભોરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંની રહેવાસી નરેન્દ્ર સિંહની પત્ની ગીતા સિંહ ભત્રીજા સાથે બાઇક પર સવાર થઈને જઈ રહી હતી, ત્યારે ડભોરા પેટ્રોલ પંપ નજીક બીજી બાઇકે તેને ટક્કર મારી દીધી અને અકસ્માતનો શિકાર થઈ ગઈ, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં દવાખાને દાખલ કરાવવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

માતાના એક્સિડન્ટના સમાચાર સાંભળીને ઈન્દોરમાં રહીને અભ્યાસ કરતો દીકરો સૂરજ સિંહ (ઉંમર 23 વર્ષ) રીવા જઈ રહ્યો હતો, પરંતુ સતના રીવા રોડ પર બેલા પાસે કારનું ટાયર ફાટવાથી કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ, જેથી સૂરજનું પણ મોત થઈ ગયું. કારમાં બે અન્ય લોકો પણ સવાર હતા, જેમને સામાન્ય ઇજા થઈ છે. સ્થાનિક લોકોની જાણકારી પર પહોંચેલી પોલીસે તાત્કાલિક બધાને સારવાર માટે હૉસ્પિટલ મોકલ્યા, પરંતુ ડૉક્ટરોએ સૂરજને મૃત જાહેર કરી દીધો. ગુરુવારે સવારે પોલીસે માતા દીકરાના શબોનું પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારજનોને સોંપી દીધું. એક જ પરિવારથી માતા અને દીકરાની અર્થી ઉઠતી જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ.

સિરમૌર ક્ષેત્રના યુવા કોંગ્રેસ નેતા ઋષભ દ્વિવેદીએ જણાવ્યું કે, સૂરજ સિંહ ચૌહાણ સાથે ત્રણ ભાઈઓ છે. તેનાથી એક નાનો તો બીજો મોટો છે. પિતા ખેતી કરે છે. 9 ઑગસ્ટે માતા ડભોરામાં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. દીકરો પણ સમાચાર સાંભળીને ઈન્દોર આવતો હતો, પરંતુ કાળના કોળિયો બની ગયો. 10 ઑગસ્ટની સાંજે માતા અને દીકરાને એક સાથે અર્થીને કાંધ આપીને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યા. ત્યાં બંનેનું નજીક નજીકમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જો કારનું ટાયર ન ફાટતું તો સૂરજ આજે બધા વચ્ચે હોતો.

પોલીસનું કહેવું છે કે, 9 ઑગસ્ટે ડભોરા પેટ્રોલ પંપ પાસે રોડ અકસ્માત થયો છે. દુર્ઘટનામાં ગીતા સિંહ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગઈ. પ્રાથમિક સારવાર બાદ જવા CHCથી SGMH રીવા રેફર કરી દેવામાં આવી. 9 ઑગસ્ટની રાત્રે ગીતા સિંહનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. માતાના મોતના સમાચાર ઈન્દોર સ્થિત દીકરાને આપવામાં આવ્યા. તે રાત્રે જ રીવા માટે રવાના થઈ ગયો હતો. 10 ઑગસ્ટની સવારે લગભગ 7:00 વાગ્યે સતના જિલ્લાના બેલા પહોંચ્યો. આ દરમિયાન નેશનલ હાઇવે 30 પર કારનું ટાયર ફાટી ગયું. ત્યારબાદ સૂરજને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થઈ ગયું હતું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.