10 સંતાનોની માતાનું એક કુંવારા પર આવ્યું દિલ, ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

લગ્નની સીઝન ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક અનોખા લગ્નની ઘટના સામે આવી છે. ગોરખપુરના દદરી ગામમાં 42 વર્ષની મહિલાના બીજા લગ્ન ગ્રામજનોએ તેના પ્રેમી સાથે કરાવી દેવામાં આવ્યા. મહિલાના પહેલા પતિનું બીમારીથી મોત થઈ ચૂક્યું છે. પહેલા પતિથી મહિલાના કુલ 10 સંતાન હતા, જેમાં 4 દીકરીઓ અને 6 દીકરા સામેલ છે. જિલ્લાના બડહલગંજના દદરી વિસ્તારની આ આખી ઘટના છે.

ગામની 42 વર્ષીય સોની દેવીના પતિ વિજય શર્માનું 6 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું. પતિના મોત બાદ કુલ 10 બાળકોની જવાબદારી સોની દેવીના માથે આવી પડી હતી. તેમાં 4 ખેલાડીઓ અને 6 છોકરા સામેલ છે. સોની દેવીની સૌથી મોટી દીકરીની ઉંમર 22 વર્ષ છે. ત્યારબાદ વિધવા સોની દેવી કોઈક સ્થાનિક ગુરુકુળ પી.જી. કૉલેજમાં નાનું-મોટું કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા લાગી. આ દરમિયાન દેવરિયા જિલ્લાના રહેવાસી બાલેન્દ્ર ઉર્ફ બલઈ (ઉંમર 40 વર્ષ)ની મુલાકાત સોની દેવી સાથે થઈ.

જોત જોતામાં ઉંમરના આ પડાવ પર બંને વચ્ચે નજીકતા વધવા લાગી અને બંને છેલ્લા 5 વર્ષથી એક-બીજાને મળતા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ તેમના સંબંધો પર આપત્તિ દર્શાવી તો તેના પર ગ્રામજનોએ પંચાયત બોલાવી. જેમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે કેમ નહીં બંનેના લગ્ન કરાવી દેવામાં અવે. તો તેની સાથે સાથે અનાથ 10 બાળકોને પણ પિતાનો પ્રેમ અને તેની છત્રછાયા મળી જાય. સર્વસંમતિથી નિર્ણય લઈને ગ્રામજનોએ આ બંનેના લગ્ન કરાવી દીધા. હવે આ આખી ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તો લોકો આ નેક કાર્ય માટે ગ્રામજનોના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

શુક્રવારે શિવ મંદિર પર સોની અને બાલેન્દ્રના સંક્ષિપ્ત લગ્ન કરાવી દેવામાં આવ્યા. સાથે જ તેને વિદાઈમાં ગ્રામજનો તરફથી ભેટ પણ આપવામાં આવી. બંને પતિ-પત્નીનું કહેવું છે કે, આ લગ્ન બાદ અમે ખૂબ જ ખુશ છીએ. બાળકો સાથે નવા જીવનની શરૂઆત કરીશું. અમે સરપંચ સહિત શાળાના સંચાલક અને બધા ગ્રામજનોનો આભાર માનીએ છીએ કે બધાએ આમારો સહયોગ કર્યો. તો લગ્ન બાદ સંતાનોનું કહેવું છે કે, માતાની વાપસી અને માથે પિતાનો છાંયો મળ્યા બાદ આમને ખૂબ ખુશી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.