મુંબઈ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકીભર્યો ફોન આવવાથી હડકંપ મચી ગયો. આ ફોન આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામથી મોડી રાત્રે આવ્યો હતો. ધમકીભર્યો કોલ આવ્યા બાદ મુંબઈ પોલીસ સહિત બીજી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર સોમવારે રાત્રે 10 વાગ્યે ધમકીભર્યો ફોન આવ્યો, ત્યારબાદ તમામ સંબંધિત એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસે આ જાણકારી આપી છે. ફોન કરનારા વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ જણાવ્યું અને કહ્યું કે, તે ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે અને તેનો સભ્ય છે. ફોન પર પોતાનું ઈન્ટ્રોડક્શન આપ્યા બાદ તે વ્યક્તિ કોઈ કોડવર્ડનો ઉપયોગ કરીને સંદિગ્ધ વાતો કરતો રહ્યો ત્યારબાદ, આ વાતની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી. ત્યારબાદ એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી અને મુંબઈની સહાર પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 505(1) અંતર્ગત મામલો દાખલ કરી તેની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે, આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસ પર આવવાના છે. આ જ કારણ છે કે, મુંબઈ પોલીસે અહીં 10 ફેબ્રુઆરીએ સુરક્ષાના કારણોસરથી ડ્રોન, પેરાગ્લાઈડર, તમામ પ્રકારના બલૂન્સ અને રિમોટ સંચાલિત અત્યાધિક હળવા વિમાન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ ઉપાયુક્તે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC) ની ધારા 144 અંતર્ગત આ મામલામાં ત્રણ ફેબ્રુઆરીના રોજ એક આદેશ જાહેર કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચાલનની શરૂઆત કરવાના છે. શહેરની પોલીસના આદેશ અનુસાર, એરપોર્ટ, કોલાબા, માતા રમાબાઈ આંબેડકર માર્ગ, એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ) અને અંધેરી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, તમામ પ્રકારના બલૂન્સ, રિમોટ સંચાલિત અત્યાધિક હળવા વિમાન ઉડાવવાની પરવાનગી નહીં હશે.

આદેશમાં કહેવામાં આવ્યું કે, એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 10 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ, INS શિકરા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને અંધેરી સ્થિત મરોલમાં વડાપ્રધાનના મુંબઈ પ્રવાસ દરમિયાન આતંકવાદી/ અસામાજિક તત્વ ડ્રોન, પેરાગ્લાઈડર, રિમોટ સંચાલિત ખૂબ જ હળવા વિમાન દ્વારા હુમલો કરી શકે છે. સાથે જ, શાંતિ ભંગ કરવામાં આવી શકે છે તેવો અંદેશો છે. તેમા કહેવામાં આવ્યું, માનવ જીવન, સ્વાસ્થ્ય, સુરક્ષા માટે ગંભીર જોખમ પેદા કરવું તેમજ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચડવાની પણ આશંકા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.