મણિપુરઃ મુસ્લિમ પરિવારે ઘરને બનાવ્યું રાહત શિબિર, બેઘર થયેલા લોકોને આપ્યો આશ્રય

મણિપુરમાં હિંસાના કારણે ઘણા લોકો પોતાનું ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે. આ એ લોકો છે જેમણે પૂર્વોત્તર રાજ્યમાં હિંસા દરમિયાન પોતાના ઘર ગુમાવી દીધા છે. વિષ્ણુપુર જિલ્લાના ક્વાકતા ગામમાં રહેનારા મુસ્લિમ સમુદાયના લોકોએ મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે બફર ઝોન બનાવી રાખ્યો છે. તેમની મદદ માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા છે.

કવક્તા ગામના રહેવાસી 28 વર્ષીય મોહમ્મદ શબ્બીરે પોતાના ઘરને જ રાહત શિબિરમાં બદલી દીધું છે. અહીં લગભગ 100 લોકો શરણાર્થી બનીને રહે છે. તેમાંથી કેટલીક ગર્ભવતી મહિલાઓ સાથે નાના નાના બાળકો પણ સામેલ છે.. મોહમ્મદ શબ્બીરે કહ્યું કે, મેં પોતાના ઘરને રીલિફ કેમ્પ બનાવ્યું છે જેથી સેકડો લોકોની મદદ થાય. મારા ઘરનો દરવાજો બધા માટે ખુલ્લો રહે છે. અહીં હિન્દુ, મુસ્લિમ, કુકી, મેતેઈ, ઈસાઈ બધા આવીને રહી શકે છે.

તેણે આગળ કહ્યું કે, શરૂઆતમાં કેટલાક દિવસ સુધી અમે બધાનો ખર્ચ ઉપાડ્યો, પરંતુ તે એટલું સરળ નહોતું એટલે સરકાર પાસે મદદની માગ કરી હતી. હવે સરકાર પાસે સતત ભોજનનો સામાન મળી જાય છે. તો મોહમ્મદ શબ્બીરની માતા શાહીન કહે છે કે, રીલિફ કેમ્પ અમે બધાને બચાવવા માટે બનાવ્યો છે. અહીં બીમાર લોકો પણ છે અને ગર્ભવતી મહિલાઓ પણ છે. રાહત શિબિરમાં અત્યારે માત્ર મેતેઈ કે પછી મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ એ લોકો છે, જેમના ઘર હિંસામાં સળગાવી દેવામાં આવ્યા છે.

રાહત શિબિરમાં રહેતી એક ગર્ભવતી મહિલાએ કહ્યું કે, અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમે પોતાના જ રાજ્યમાં રાહત શિબિરમાં રહીશું. આ બધુ ક્યારે સમાપ્ત થશે, મને ખબર નથી. મને ક્યારેય લાગ્યું નહોતું કે મને પેટમાં બાળક લઈને એમ રહેવા મજબૂર થવું પડશે.

ઉલ્લેખનીય છે કે, મણિપુર હાઇ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એમ.વી. મુરલીધરને એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગ પર વિચાર કરવા કહ્યું હતું. કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ મણિપુર (ATSUM)એ આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી ગઈ હતી. જે અત્યાર પણ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.