મંદિરમાં 7 ફેરા લઇને સબા બની ગઇ સોની, પણ સુરક્ષાની માગ કરી

ધર્મ અને જાતિવાદની દીવાલ તોડીને ફરી એક વખત ઉત્તર પ્રદેશન બરેલીમાં એક પ્રેમી કપલે પ્રેમના માર્ગને અપનાવીને લગ્ન કરી લીધા છે. બરેલી જિલ્લાના આંવલા તાલુકાની રહેવાસી સબા બીએ ઇસ્લામ ધર્મ છોડીને સનાતન અપનાવી પ્રેમ લગ્ન કર્યા છે. સાથે જ પોતાના નામ અને ઓળખ પણ બદલી છે. સબા આ વિસ્તારના અંકુર દેવલ સાથે લગ્ન કરીને સોની દેવલ બની ગઇ છે. પ્રેમી કપલે બરેલી અગસ્ત્ય મુનીમાં જઇને પૂરા રીત રિવાજો મુજબ લગ્ન કરી લીધા, જ્યાં સબાએ ઇસ્લામ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવી લીધો છે.

આ અંગે પિતાએ પોતાની દીકરીના પ્રેમી વિરુદ્ધ અપહરણનો કેસ પણ નોંધાવ્યો છે. બીજી તરફ પ્રેમી કપલે પોતાના પરિવારોથી જીવનું જોખમ હોવાનું કહેતા જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની માગણી કરી છે. અંકુર દેવલે જણાવ્યું કે, તે વિસ્તારમાં ફેરી લગાવીને કપડાં વેચે છે. આ દરમિયાન તેની મુલાકાત એ જ માર્કેટમાં સબા સાથે થઇ ગઇ. ધીરે ધીરે વાતચીત થતા મિત્રતા થઇ અને પછી તે પ્રેમમાં પરિણમી ગઇ. ત્યારબાદ તેમણે પ્રેમ લગ્ન કરી લીધા. આ પ્રેમ લગ્ન બરેલીના અગસ્ત મુનિ આશ્રમમાં ગુરુવારે સાંજે વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા.

તેમના પ્રેમ લગ્નમાં આશીર્વાદ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રાચી પોતે પહોંચ્યા હતા. લગ્ન સમારોહમાં અચાનક પહોંચેલા સાધ્વી પ્રાચીની જાણકારી સ્થાનિક જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનને પણ ન પડી. થોડો સમય વિતાવ્યા બાદ સાધ્વી પ્રાચી જતા રહ્યા. અંકુર દેવલનું કહેવું છે કે, પ્રેમ લગ્ન તેના પરિવારને મંજૂર નહોતા. શરૂઆતથી જ પરિવારના લોકો તેમના સંબંધને નાપસંદ કરતા હતા. તેમની મિત્રતા બાબતે પરિવારના લોકોને પહેલા જ ખબર હતી. એ વાતને લઇને ઘણી વખત સબાના પિતાએ દીકરીને નિર્દયી માર માર્યો હતો. આ કપલનું કહેવું છે કે લગ્ન થઇ ગયા બાદ બંનેને પરિવારથી જોખમ છે.

પંડિત કે.કે. શંખધાર અત્યાર સુધી હિન્દુ-મુસ્લિમવાળા તમામ લગ્ન કરાવી ચૂક્યા છે. જેના કારણે તેમને સતત ધમકીઓ મળતી રહે છે. આ વખતે શંખધારે 67માં લગ્ન કરાવ્યા છે. પંડિતનું કહેવું છે કે, તેઓ બાળકોની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છે. સુરક્ષાના કારણોથી હવે લોકો સનાતન ધર્મ અપનાવી રહ્યા છે, તો આ આખી તપાસ અને ડોક્યૂમેન્ટ જમા કરીને લગ્ન કરાવી દે છે. છતા જિલ્લા પ્રશાસન તેમને લઇને કોઇ ચિંતિત દેખાઇ રહ્યું નથી. તેઓ ઘણી વખત સુરક્ષાની માગણી પણ કરી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરક્ષા મળી નથી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.