દંગો કરનારા મારી જ નાખત, મુસ્લિમ એન્જિનિયરે 35 હિન્દુઓની બચાવી જિંદગી

નૂહ હિંસા દરમિયાન એક મુસ્લિમ અધિકારીની તત્પરતા અને સાહસથી ઘણા લોકોની જિંદગી બચી ગઈ છે. તેમણે સહયોગીઓની મદદથી જીવ જોખમમાં નાખીને બંધક બનાવવામાં આવેલા 35 લોકોને છોડાવ્યા. તેની બહાદૂરીની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે પુન્હાનાના મુબારિકપૂર ગામનો રહેવાસી આબિદ હુસેન એક વિભાગમાં સબ-ડિવિઝન અધિકારી છે. તેમની તૈનાતી તાવડુમાં છે. 31 જુલાઇના રોજ નીકળેલી વૃજમંડળ યાત્રા માટે તેમને ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા.

તેઓ ઇન્સ્પેક્ટર ઓમબીર સાથે નૂહ બસ સ્ટેશન પાસે ઊભા હતા. ત્યારે તેમને જાણકારી મળી કે કેટલાક અસામાજિક તત્વોએ યાત્રામાં સામેલ કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે અને તેમને એક ધાર્મિક સ્થળમાં બંધ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, જાણકારી મળતા જ તેઓ ઇન્સ્પેક્ટર ઓમબીર અને અન્ય પોલીસકર્મી સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. તેમના પહોંચતા ઉપદ્રવી પથ્થરમારો અને ફાયરિંગ કરવા લાગ્યા. સાથે જ બંધક બનાવવામાં આવેલા લોકો સાથે મારામારી કરી રહ્યા હતા.

એ જોઈને તેમનાથી રહેવાયું નહીં. આબિદ હુસેન બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવવા માટે દોડી પડ્યો. સાથે જ તેમણે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને ઉપદ્રવીઓ પર સખત કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. પોલીસની સખ્તાઈ બાદ બધા ઉપદ્રવી ફરાર થઈ ગયા. તેમણે કહ્યું કે, જો થોડી મિનિટ પણ મોડું થઈ જતું તો ઘણા લોકોના જીવ જઈ શકતા હતા. તે એક એન્જિનિયર છે. પબ્લિક હેલ્થ વિભાગમાં તેની તૈનાતી છે. તે માણસાઈ પર વિશ્વાસ કરે છે. ઉપદ્રવીઓમાં કોઈ પ્રકારની માણસાઈ હોતી નથી. એવા લોકોને સખત સજા મળવી જોઈએ.

આબિદ હુસેને કહ્યું કે, નૂહમાં શાંતિ અને શૌહર્દ કાયમ રહેવું જોઈએ. ગુરુગ્રામના ક્રાઇમ બ્રાન્ચ પ્રભારી ઇન્સ્પેક્ટર પંકજ કુમારે જણાવ્યું કે, તેઓ આંબેડકર ચોક પર ઉપસ્થિત હતા. ત્યારે ધાર્મિક નારા લગાવતા 700 વ્યક્તિ પહોંચી ગયા. ઉપદ્રવીઓની ફાયરિંગમાં ઇન્સ્પેક્ટર અનિલ કુમારના પેટમાં ગોળી લાગી ગઈ. ASI જગબીર ઇજાગ્રસ્ત થઈ ગયા. ઉપદ્રવીઓને તગેડતા બંનેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. મિલેનિયમ સિટી થઈ હિંસક ઘટનાઓ બાદ અહી રહેતા પ્રવાસીઓને શહેરના સેકડો પરિવારોએ પોતાના ઘરોમાં શરણ આપીને ઉદરહણ રજૂ કર્યું છે.

તેમની સાથે પોતિકાપણું પણ દેખાડ્યું, જેથી પ્રવાસી લોકો ગામ ફરવાની જગ્યાએ અહી પર જ રોકાઈ ગયા. હિંસક ઘટનાઓ બાદ પ્રવાસી મજૂરોને સુરક્ષાનો ડર સતાવી રહ્યો હતો. એવામાં એક ઉદ્યોગપતિએ મજૂરોને ઘરે પરત ફરતા રોક્યા અને પોતાની કંપનીમાં શરણ આપ્યું. તેમની દરેક જરૂરિયાતની વસ્તુઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી ચે. તેનાથી તેઓ પોયને સુરક્ષિત અનુભવી રહ્યા છે. એ સિવાય નાવા ગુરુગ્રામ ક્ષેત્રમાં રહેનારા પરિવારોએ પણ ઘર પર કામ કરનાર ડ્રાઈવર, નોકરાણી અને માળીને પોતાના ઘરોમાં શરણ આપ્યું. જેથી તેમની અંદરથી ડર નીકળી શકે અને તેઓ પોતાને સુરક્ષિત અનુભવ કરી શકે. શહેરના લોકોમાં પોતીકાપણું જોઈને ખૂબ ખુશ છે અને સારું પણ અનુભવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.