પવારનો ખુલાસો-BJP સરકારમાં સામેલ થવા 3 વખત થઈ વાત, જણાવ્યું કેમ મેળ ન પડ્યો

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવાર પોતાના રાજનીતિક કરિયરની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે. જે પાર્ટીને તેમણે 24 વર્ષમાં મોટી કરી, આજે તેના પર કબજો કરવા માટે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સમયે સૌથી ખાસ રહેલા ભત્રીજા અજીત પવારના બળવા બાદ પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા તેમનો સાથ છોડી ચૂક્યા છે. અજીત પવારે તો ઉંમર પર સવાલ કર્યો અને તેમને રિટાયરમેન્ટ લેવાની સલાહ આપી નાખી. સીનિયર પવારે તેના પર જવાબ આપતા કહ્યું કે, 82 વર્ષની ઉંમરમાં પણ કામ કરવા માટે તૈયાર છું.

તેમણે એવો પણ ખુલાસો કર્યો કે, ભાજપ સાથે સરકારમાં સામેલ થવા માટે 3 વખત વાત થઈ, પરંતુ આગળ ન વધી શક્યા. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે, તેઓ અત્યારે વૃદ્ધ થયા નથી અને અટલ બિહારીનો જાણીતો જુમલો ‘ન ટાયર્ડ છું, ન રિટાયર્ડ (ન થાક્યો છું, ન રિટાયર્ડ છું) રીપિટ કર્યો. તેમણે કહ્યું એક, જ્યાં સુધી પાર્ટી કાર્યકર્તા કહેતા રહેશે, ત્યાં સુધી તેઓ કામ કરી શકે છે.

અજીત પવારે 5 જુલાઇના રોજ મુંબઈના બાંદ્રામાં પાર્ટી નેતાઓ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બેઠક NCPના 53માંથી 32 ધારાસભ્ય સામેલ થયા હતા. આ બેઠકને સંબોધિત કરતા અજીત પવારે કાકા શરદ પવારને રિટાયર થવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, ‘62ની ઉંમરમાં સરકારી અધિકારી રિટાયર થઈ જાય છે. 75 વર્ષની ઉંમરમાં રાજનીતિમાં ભાજપના નેતા રિટાયર થઈ જાય છે, તમે 83ના થઈ ગયા છો, તમારે ક્યાંક રોકાવું પડશે.’

અજીત પાવરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું કે, કોઈ મંત્રી પદ લીધા વિના પણ તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. મને રિટાયરમેન્ટ લેવા કહેનારા તેઓ કોણ હોય છે. હું અત્યારે પણ કામ કરી શકું છું. શરદ પવારે આ દરમિયાન ખુલાસો કર્યો કે, ભાજપના નેતૃત્વમાં સરકારમાં સામેલ થવા માટે તેમની પાર્ટી સાથે વાત થઈ હતી. તેમણે વર્ષ 2014, 2017 અને વર્ષ 2019માં ભાજપ સાથે ગઠબંધનની વાત થઈ હતી, પરંતુ અલગ વિચારધારા હોવાના કારણે અમે આગળ ન વધી શક્યા.

અજીત પવાર ગ્રુપના નેતા પ્રફુલ પટેલે 6 જુલાઇના રોજ દિલ્હીમાં બોલાવેલી શરદ પવાર ગ્રુપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને ગેર-અધિકૃત કહી હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, વર્કિંગ કમિટીમાં નેતાઓની નિમણૂક પાર્ટી સંવિધાનનું ઉલ્લંઘન કરીને કરી છે. પ્રફુલ પટેલના દાવા પર પલટવાર કરતા શરદ પવારે કહ્યું હતું કે, પછી બધી પાર્ટી નેતાઓની નિમણૂક, અહીં સુધી કે પ્રફુલ પટેલની નિમણૂક પણ ગેરકાયદેસર છે. NCPએ ગયા મહિને જ સંગઠનમાં મોટો બદલાવ કરતા પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને પાર્ટીના કાયકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે આમ પણ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ માટે તેમના નામનો પ્રસ્તાવ પ્રફુલ પટેલે જ વધાર્યો હતો, ત્યારબાદ તેમને સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.