કોંગ્રેસમાં સામેલ થયા ભાજપના વરિષ્ઠ નેતા, જાણો BJPને કેટલું નુકસાન થશે

છત્તીસગઢમાં આ વર્ષ થનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર સાઇએ સત્તા વાપસીનો પ્રયાસોમાં લાગેલ ભાજપને ઝટકો આપતા કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. નંદ કુમાર સાઇ 4 દશકથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. નંદ કુમાર સાઈને પોતે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસની સભ્યતા અપાવી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, જોડાયો હાથ સાથે હાથ, મળ્યો તમારો સાથ, ભરોસાનો સાથ યથાવત છે. આદિવાસી હિતની વાત. સ્વાગત અને અભિનંદન ડૉ. નંદ કુમાર સાઈ. જારી છે.’

આ અગાઉ નંદ કુમાર સાઈએ પોતાના રાજીનામામાં તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતા જ ખોટા આરોપ લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવા અને પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. રાજીનામામાં નંદ કુમાર સાઈએ કહ્યું કે, ‘હું ભાજપની પ્રાથમિક સભ્યતા અને બધા પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીએ મને જે પણ જવાબદારી આપી છે, મેં તેને પૂરી નિષ્ઠા સાથે નિભાવી. તેના માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. એક વીડિયોમાં વરિષ્ઠ નેતાએ આશા વ્યક્ત કરી કે ભાજપ સારી રીતે કામ કરે.

કોણ છે નંદ કુમાર?

છત્તીસગઢના રાજકારણનો મોટો આદિવાસી ચહેરો કહેવાતા નંદ કુમાર સાઇ 3 વખતના ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહ્યા છે. નંદ કુમાર સાઈ વર્ષ 1977માં પહેલી વખત અવિભાજિત મધ્ય પ્રદેશની વિધાનસભા માટે ચૂંટાયા હતા.

તેઓ મધ્ય પ્રદેશના વિભાજન, છત્તીસગઢ, રાજ્યની રચના અગાઉ 3 વખત ધારાસભ્ય રહ્યા. અવિભાજિત મધ્ય પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નંદ કુમાર સાઈ 3 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભા માટે પણ ચૂંટાઈ ચૂક્યા છે. છત્તીસગઢ રાજ્યની રચના બાદ હવે અજીત જોગી મુખ્યમંત્રી બન્યા. ભાજપે નંદ કુમારને વિધાનસભામાં વિપક્ષ નેતાની જવાબદારી આપી હતી.

ભાજપ માટે કેટલું નુકસાન?

રાજ્ય બન્યા બાદ છત્તીસગઢના અજીત જોગીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારબાદ અહી ભાજપને ઊભી કરવામાં નંદ કુમાર રાયે મહત્ત્વની ભૂમિકા ભજવી અને સંગઠનને મજબૂત કર્યું. સરગુજા ક્ષેત્રથી આવનાર સાઈ આદિવાસીઓના મોટા નેતા માનવામાં આવે છે.

દીલિપ સિંહ જૂદેવ બાદ નંદ કુમાર સાઈ સરગુજા વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે. સરગુજા ક્ષેત્રમાં લગભગ 14 વિધાનસભા સીટ છે અને ભાજપ પાસે પણ એક પણ સીટ નથી. હવે જ્યારે સાઈ કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે તો ભાજપ માટે અહીં મુશ્કેલીઓ જ વધારે વધતી નજરે પડી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.