નારાયણ સાંઇની પત્નીએ પતિ અને સસરાના કરતૂતો ઉજાગર કર્યા, મહિલાઓ સાથે આવું...

જાનકી હરપલાણીએ પતિ નારાયણ સાંઇ સાથે છુટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે અને સાથે 5 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે ત્યારથી જાનકી ચર્ચામાં છે. 

દિવ્ય ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હરપલાણીએ કહ્યું કે મારા માતા પિતા આશારામને બહુ માનતા હતા અને જ્યારે હું 10 વર્ષની હતી ત્યારથી તેમની સાથે આશ્રમમાં જતી હતી. જ્યારે હું  20 વર્ષની થઇ ત્યારે નારાયણ સાંઇ સાથે લગ્નનો પ્રસ્તાવ આસારામે મારા પિતા સમક્ષ મુક્યો હતો. મારા પિતા તો આ પ્રસ્તાવથી રાજીના રેડ હતા અને મને કહેતા કે ગુરુની આજ્ઞા છે એટલે પાલન કરવું પડશે. મારે ભણવું હતું, પરંતુ મારા લગ્ન કરી દેવાયા હતા.જાનકીએ કહ્યુ કે, મારા પતિ મારાથી 5 વર્ષ મોટા હતા.

મારા લગ્ન મધ્ય પ્રદેશના રતલામ પાસે આસારામે બનાવેલા એક આશ્રમમાં 1997માં થયા હતા, અમારા લગ્નમાં કોઇ મોટી હસ્તી કે રાજનેતા નહોતા આવ્યા.જાનકીએ કહ્યુ કે જે પરિવારની તુલના ભગવાન સાથે કરાતી હતી, એનાથી વિપરીત હકિકત મે અનુભવી હતી. જાનકીએ કહ્યું કે, આમ જોવા જોઇએ તો હું પતિ નારાયણ સાથે લાંબો સમય સાથે રહી જ નથી, કારણકે તેઓ આસારામ સાથે સંત્સંગમાં બહાર જ રહેતા અને એ પછી તેમણે પોતે સત્સંગ કરવા માંડ્યો એટલે ભાગ્યેજ મુલાકાત થતી હતી.

જાનકીએ દાવો કરતા કહ્યું  કે, વર્ષ 2007ની એક વાત છે મારા પતિનો મુંબઇમાં કાર્યક્રમ હતો અને ગાંભોઇ આશ્રમમાં રહેતી 5-6 છોકરીઓને મુંબઇ મોકલવામાં આવી હતી. તેમાં રસોઇ બનાવતી એક યુવતીની તબિયત ખરાબ થઇ હતી અને નારાયણ સાંઇએ તેને મોકલી આપી હતી. જાનકીએ કહ્યું કે, આ વાતની મને ખબર પડી અને મેં તપાસ કરાવી તો જાણ થઇ કે એ યુવતી ગર્ભવતી બની હતી અને તેણીને રાજસ્થાનમાં એંકાત જગ્યાએ મોકલી આપવામાં આવી હતી.

જાનકીએ કહ્યુ કે, પતિ નારાયણ સાંઇને જ્યારે મેં પુછ્યું તો તેમણે અનૈતિક સંબંધોની વાત સ્વીકારી લીધી હતી. મેં પતિને તે વખતે કહ્યું હતુ કે, ગામને તો તમે સંયમ રાખવાની શિખામણ આપો છો અને એ વાત તમારા જીવનમાં અપનાવતા નથી?  તે વખતે નારાયણે કહ્યું હતું કે, એ મારો વિષય છે તારે ચંચુપાત કરવાની જરૂર નથી.

જાનકીએ ચોંકાવનારા ખુલાસા કરતા કહ્યું હતું કે,જ્યારે શિબિર કે સંત્સંગ હોય ત્યારે રાતના સમયે લોકો ઘરે ચાલ્યા જતા અને કેટલીક મહિલાઓ આશ્રમમાં પાછી ફરતી હતી અને તેમને આસારામની પત્નીને મળવાના નામે બોલાવાતી હતી.

મેં જ્યારે આસારામને શરૂઆતમાં પતિ સાથે છુટા થવા વિશે વાત કરી તો બાપુએ મને કહ્યું હતું કે, નારીનો ધર્મ છે કે કોઇ પણ હાલતમા પતિ સાથે રહેવું અને મને એક શાંદિલ નામની મહિલાની પૌરાણિક કથા સંભળાવી હતી.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.